✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત સરકારનું નવું ગતકડું, શિક્ષકોને શિક્ષણ છોડી તળાવ ઉંડુ કરવાની આપી જવાબદારી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 May 2018 12:41 PM (IST)
1

હિંમતનગરઃ સાબરકાંઠામાં સરકારી શિક્ષકોને તળાવ ઉંડા કરવાની જવાબદારી સોંપવામાં આવતા વિવાદ પેદા થઇ ગયો છે. શિક્ષકોને શિક્ષણ સિવાયની જવાબદારી સોંપવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છો. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે હવે શિક્ષકો બાળકોને ભણાવવાના બદલે તળાવ ઉંડા કરવાની પણ કામગીરી કરશે.

2

સરકારના આ નિર્ણયનો બચાવ કરતા અરવલ્લીના DPEOએ દાવો કર્યો હતો કે શિક્ષકો સ્વૈચ્છિક રીતે આ કામમા જોડાયા છે. સરકારના આ નિર્ણયનો કોગ્રેસે પણ વિરોધ કર્યો હતો.

3

સાબરકાંઠામાં શિક્ષકો પાસે તળાવ ઉંડા કરવાના આદેશ બાદ આ વિવાદ સર્જાયો હતો. ખેડબ્રહ્મામાં સુજલામ સુફલામ યોજનામાં શિક્ષકોને આ જવાબદારી સોંપવામાં આવી હતી. શિક્ષકોને સ્થાનિક વહીવટી તંત્રએ પત્ર લખતા વિવાદ પેદા થયો છે. તે સિવાય સરકારને શિક્ષકો પર વિશ્વાસ ના હોય એ રીતે તેઓ જે કામગીરી કરે તેના ફોટા પાડવાનો પણ આદેશ અપાયો છે. હવે સવાલ એ થાય છે કે શું સુજલામ સુફલામ યોજના ફક્ત ફોટા પાડી સસ્તી પબ્લિસીટી મેળવવા માટે સરકારે શરૂ કરી છે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાત સરકારનું નવું ગતકડું, શિક્ષકોને શિક્ષણ છોડી તળાવ ઉંડુ કરવાની આપી જવાબદારી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.