ગુજરાતમાં પોલીસની ભરતી પર પણ આવી શકે છે પ્રતિબંધ, જાણો શું છે કારણ ?
જોકે કોર્ટના કોર્ટના આકરા વલણને જોતા સરકાર તરફથી એડવોકેટ રણજિતસિંહાએ એવી દલીલ કરી હતી કે સરકાર જાન્યુઆરીથી કાયમી કરવા અંગે વિચારણા કરી રહી છે.
ગુજરાત પોલીસ દળમાં હથિયારી/બિન હથિયારી, કોન્સ્ટેબલ, લોક રક્ષક પુરુષ, મહિલા, એસ.આર.પી કોન્સ્ટેબલ, જેલ સિપાઈની કુલ 17,532 જગ્યાઓ માટે સીધી ભરતી કરવાં માટે લેખિત પરીક્ષા પણ લેવાઈ ગઈ છે. જોકો કોર્ટે લોકરક્ષક અંગે જે ટીપ્પણી કરી છે તે પ્રમાણે તો આ લોક રક્ષક માટે ભરતના કોઈ નિયમ ન હોઈ આ ભરતી રદ્દ થઈ શકે છે જેને કારણે પરીક્ષા આપનાર અનેક ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
સુપ્રીમ કોર્ટની આ ઝાટકણી બાદમાં હાલમાં જ ગુજરાતમાં થયેલી પોલીસની ભરતી પર પ્રતિબંધ આવી શકે છે. હાલમાં જ ગુજરાત પોલીસ દળમાં પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી અને જેલ સિપાઈની કુલ 17,532 જગ્યા માટે લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ હતી.
ફિક્સ પગારદારોને કેમ કાયમી નથી કરાતા તેવા પ્રશ્નના જવાબમાં સરકારે એવી દલીલ કરી હતી કે, જો તેમને કાયમી કરવામાં આવે તો સરકારી તિજોરી પર ૮ હજાર કરોડનો બોજો પડી શકે છે. સરકારની આ દલીલ સાંભળીને ચીફ જસ્ટિસે ઝાટકણી કાઢી કહ્યું હતું કે, સરકારે પોતાની નીતિ બદલવી પડશે, નહીં તો જો અમે ઓર્ડર કરીશું તો સરકાર આખી દેવાદાર બની જશે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ફિક્સ પગારદારોએ સરકારની ફિક્સ પગાર સામેની નીતિ અંગે કરેલી સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણી મંગળવારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઈ જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, સરકારપાસે લોક રક્ષકના કોઈ ભરતી નિયમો ન હોવા છતા કોન્સ્ટેબલને લોકરક્ષક તરીકે ગણી નિમણૂક કરે છે.