જીગ્નેશ મેવાણીના કાફલા પર પથ્થરથી હુમલો કરી ગાડીના કાચ તોડ્યા, કયા પક્ષ પર કરવામાં આવ્યો આક્ષેપ, જાણો વિગતે

પટોસણ ગામમાં પહુચેલા મેવાણીનાં કાફલા પર ઠાકોર સેનાના આગેવાનના વાહન પર પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચડાવાની કોશિષ કરી હતી.
આ મામલાની જાણ ગઢ પોલીસને થતાં એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો. જીગ્નેશ મેવાણીએ હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જન સંપર્ક યાત્રા ટાકરવાડા ગામમાં પહોંચી હતી જ્યાં જીગ્નેશ મેવાણીની પાછળની કાર પર પથ્થર વડે હુમલો થતાં મેવાણીએ પોતાના કાફલા પર થયેલા હુમલાની પ્રથમ જાણ ટ્વીટરથી કરી હતી.
જીગ્નેશ મેવાણી પ્રચાર કરી રહ્યા તે સમયે ટાકરવાડા અને પટોસણ ગામમાં વાહનો પર પથ્થરો ફેંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે ગઢ પોલીસનો સ્ટાફ તાત્કાલિક પટોસણ પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી.
પાલનપુર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચાર જોરશોર ચાલી રહ્યો છે. જેમાં પક્ષો દ્વારા વિવાદો પણ જોવા મળી રહ્યા છે. જોકે દલિત નેતા જીગ્નેશ મેવાણી સોમવારે પોતાના વડગામ મતક્ષેત્રમાં આવેલા જુદા જુદા ગામોમાં પ્રચાર કરી રહ્યા હતા.