હાર્દિકને મોતની ધમકી બાદ સુરક્ષામાં વધારો, જાણો કેવી કિલ્લેબંધી કરી દેવાઈ?
સમર્થકોએ જણાવ્યું કે હાઈકોર્ટના આદેશ પર હાર્દિકને 24 કલાક પહેલા પોલીસને જાણ કરીને ઉદયપુરમાં અલગ અલગ જગ્યાએ જાય છે.
હાલમાં હાર્દિકના ઘરની બહાર એક એએસઆઈ, એક હેડકોન્સ્ટેબલ તથા ચાર કોન્સ્ટેબલ હાજર હોય છે. એસપીએ કોન્સ્ટેબલને રાઈફલ આપવાના આદેશ આપતા તેની સુરક્ષામાં વધારો કર્યો છે.
ગઈ 13 ઓક્ટોબરના રોજ હાર્દિક પટેલને અજ્ઞાત મોબાઈલથી કોઈએ અનામત આંદોલનમાંથી હટી જવા મુદ્દે તેને અને તેના પરિવાનરે ઉઠાવી જવાની ધમકી આપી હતી. હાર્દિકે આ સંબંધમાં પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆઈર નોંધાવી છે. આરોપિએ હાર્દિકને મોબાઈલ પર મેસેજ પણ કર્યો હતો. ત્યાર બાદ હાર્દિકના સમર્થકોએ એસપી સાથે મુલાકાત કરી સુરક્ષા વધારવાની માગ કરી હતી.
ઉદયપુરઃ પાસ કન્વીનર હાર્દિક પટેલને મોબાઈલ પર ધમકી મળ્યા બાદ એસપીએ હાર્દિકની સુરક્ષામાં વધારો કર્યો છે. હાર્દિકના નાકોડા નગર સ્થિત કામચલાઉ નિવાસ પર હાજર ચાર જવાનોને એસએલઆર ગન આપવામાં આવી છે. બહાર જવા દરમિયાન તેને ખાનગી સશસ્ત્રધારી ગાર્ડ ઉપલબ્ધ કરાવવાની તૈયારી ચાલી રહી છે.
સમર્થકોને આશંકા છે કે ભીડની વચ્ચે કોઈપણ અપ્રિય ઘટના બની શકે છે. આ જ કારણે હાર્દિકને બે ખાનગી સશસ્ત્ર ગાર્ડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. એસપીએ આ સંબંધમાં હાલમાં આદેશ આપ્યા નથી પરંતુ તેની તૈયારી ચાલી રહી છે.