જીગ્નેશ મેવાણીએ 17 માગણીઓને લઈને રાહુલ ગાંધી સાથે કરી ચર્ચા, જાણો 17 માગણી વિશે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતા જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે બેઠક થઇ શકે છે તેવા સ્પષ્ટ સંકેતો મળ્યાં છે. દલિત નેતા જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ કરી સ્પષ્ટતા કરી હતી કે, ભાજપની સરકાર દલિતોની 17 માગણીના મુદ્દે અમારી સાથે વાર્તાલાપ કરવા તૈયાર નથી જો કોંગ્રેસ અમારી 17 માગણીઓના મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરશે તો તેવા સંજોગોમાં અમને રાહુલ ગાંધી સાથે બેઠક કરવામાં કોઇ વાંધો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App13) મૃત પશુઓ ઉપાડવાનું કામ તમામ દલિતો છોડવા માગે છે તો તેમના માટે રૂપિયા 500 કરોડનું પેકેજ જાહેર કરાય. 14) અશિક્ષિત દલિત યુવાનો માટેની શિક્ષણ-સ્વરોજગાર હેતુ શિક્ષણ સંકુલ બનાવવા ગાંધીનગરમાં 100 એકડ જમીનની ફાળવણી કરવામાં આવે તેનું સંચાલન સમાજના હાથોમાં સોંપાય.
1) ઉનાકાંડ વખતે સરકારે પીડિત પરિવારને કરેલા વાયદા પૂર્ણ કરે, દલિતોને બીપીએલ કાર્ડ અને પ્લોટ આપવામાં આવે. 2) તમામ જિલ્લામાં એટ્રોસીટી એક્ટના કેસો માટે સ્પેશ્યિલ કોર્ટ. કાયદા મુજબ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણુંક 3) તમામ એસી, એસટી, ઓબીસી અને તમામ ભુમિહીન ખેતી મજુરોને સરકારી પડતર જમીનોની ફાળવણી.
10) ઘરવિહોણા દલિત પરિવારો માટે આવાસની ફાળવણી, સ્લમ ક્વોર્ટસનું રિપેરીંગ. 11) ઉનાકાંડ બાદ થયેલા પ્રદર્શનો બાદ દલિતો ઉપર કરાયેલા કેસો પરત ખેંચવામાં આવે. 12) ઉનાકાંડ સંબધિત ઘટનાઓના ભોગ બનેલા તમામ પીડિતોને જમીન ફાળવણી અને પુર્નસ્થાપન કરાય.
7) ખેડુતોની જમીનમાં સરકાર દાખલ કરાઇ હોય તે તમામ જમીનો ખેડુતોને પરત આપવાના આદેશ થાય. 8) એસસી, એસટીના બજેટ પ્લાનના રૂપિયા એસસી, એસટી લાભાર્થીઓ માટે વપરાય તેનો કાયદો બને. 9) રાજ્ય સરકારમાં બેકલોગની જગ્યાઓ ઉપર તુરંત ભરતી કરવામાં આવે.
4) ખેત જમીન ટોચ મર્યાદા હેઠળ ભૂમિહીનોને ફાળવેલી જમીનોના કબજા સોંપવામાં આવે. 5) ગટર સાફ કરવા સફાઇ કામદરોને ઉતારવાની પ્રથા બંધ થાય, મૃત્યુ પામનાર પરિવારના સભ્યને સરકારી નોકરી મળે. 6) ગુજરાતમાં અનામતનો અમલ દરખાસ્તના આધારે થઇ રહ્યો છે જેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે
15) ગુજરાતમાં ફિક્સ પે, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉસ સોર્સિગ બંધ કરવામાં આવે. 16) ગુજરાતમાં સરકારી યોજના માટે આવકની મર્યાદા વધારી 6 લાખ કરવામાં આવે. 17) સ્ટાર્ટ અપ યોજના હેઠળ ગુજરાતના 50 હજાર દલિતો યુવક-યુવતિઓને સ્ટાર્ટ અપ આપવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -