ભાજપને ફાયદો કરાવવા શંકરસિંહ ‘પાસ’નો ઉપયોગ કરશે, જાણો શું છે બાપુની યોજના?
હાલની સ્થિતિમાં રાજ્યના મોટા ભાગના પાટીદારો ભાજપ પ્રત્યે અસંતોષ ધરાવી રહ્યા છે. ગત જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પાટીદારની ભાજપ પ્રત્યેની નારાજગી સ્પષ્ટ પણે જોવા મળી હતી. જો એનસીપી અને બાપુ પાટીદારની ભાજપ પ્રત્યેની નારાજગીને પોતાની તરફ વાળવામાં સફળ થાય તો તેનાથી કૉંગ્રેસને સીધું નુકસાન અને ભાજપને સીધો ફાયદો થાય તેવા ચોખ્ખો હિસાબ દેખાઈ રહ્યો છે.
ચિરાગ પટેલે પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવ્યો છે. જ્યારે કેતન પટેલ સક્રિય રાજનીતિમાં ક્યારે પણ નહીં રહે તેવી જાહેરાત કરી ચૂક્યા છે. પરંતુ સામાજિક રીતે સક્રિય રહેવાનું પણ કહી ચુક્યા છે. આ બન્ને પાટિદારને સમાજના 35થી વધુની વય ધરાવતા લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત છે. બાપૂ આ વર્ગનું સમર્થન મેળવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હોવાનું જાણવા મળેલ છે.
બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ ‘પાસ’ માંથી અલગ પડેલા હાર્દિકની નીતિ રીતિનો જાહેર વિરોધ કરી ચૂકેલા ચિરાગ પટેલ તેમજ કેતન પટેલ અને પાટીદાર સમાજમાં તેમના સમર્થનમાં ચાલી રહેલા લોકો સાથે સંપર્ક કરવાનું શરૂ કર્યું હોવાની માહિતિ મળી રહી છે.
થોડા દિવસો પહેલાજ સૌરાષ્ટ્રમાં એનસીપીએ એક કિસાન સંમેલન યોજ્યું હતું. જેમાં હાર્દિક પટેલ અને તેના સહયોગીઓની મદદ લીધી હતી. સૂત્રો પ્રમાણે એનસીપીના પ્રફુલ્લ પટેલ હાર્દિક પટેલ સાથે સીધા સંપર્કમાં છે. આગામી ચૂંટણીમાં હાર્દિકને સમર્થન આપનારા રાજ્યના યુવાન પાટિદારોનાં મત એનસીપીને મળે તેવું આયોજન થઈ રહ્યું છે.
ગાંધીનગરઃ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપને ફાયદો થાય તે રીતે અદ્રશ્ય મહોરા ઊભા કરવાનો ખેલ શરૂ થઈ ગયો છે. તેમાં પણ ખાસ કરીને પાટીદાર અનામત આંદોલનના આગેવાનોનો મહત્તમ ઉપયોગ કરીને એવો ખેલ રચાવા જઈ રહ્યો છે કે, જેમાં ‘પાસ’ ના બે તડાનો ઉપયોગ બાપુ અને એનસીપી કરશે અને અંતે તેનો ફાયદો ભાજપને મળશે.