જૂનાગઢમાં પતિ અને પત્ની વચ્ચે થયો ઝઘડો પછી પત્નીના શું થયા હાલ? જાણોને ચોંકી જશો
કિરણબેનના પરિવારે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કિરણ પાસે રહેલું 17-18 તોલા સોનું પચાવી લેવા અને મિલકત પોતાના નામે કરવા માટે પંકજ વેગડા અને તેમના પરિવારજનો દ્વારા દબાણ કરવામાં આવતું હતું. પંકજની નજર હવે તેની મિલકત પર હતી.
ત્યારે એક દિવસ પહેલા જ ફરી ઝઘડો થતા પંકજ ઉશ્કેરાયો હતો અને કિરણબેનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને પંકજ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશનમાં કિરણબેન જોશી એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. પતિ-પત્ની વચ્ચે થોડા સમયથી મિલકત અંગે ઝઘડો ચાલી રહ્યો હતો.
જૂનાગઢમાં એએસઆઈ પત્ની કિરણબેન જોશીની પતિ પંકજ વેગડાએ ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. પતિએ તીક્ષ્ણ હથિયારથી ઘરમાં જ પત્નીની હત્યા કરી દીધી હતી. પોલીસને એએસઆઈના ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં કિરણબેનનો મૃતદેહ મળ્યો હતો. પતિ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. જેની પોલીસ હાલ તપાસ કરી રહ છે.