✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એક 'બાપુ'એ અહમદ પટેલનો ખેલ બગાડ્યો, બીજા 'બાપુ'એ સુધાર્યો, કોંગ્રેસની કઈ ત્રિપુટી ભાજપને પડી ભારે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Aug 2017 12:50 PM (IST)
1

બે મતનો વિવાદ કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ પહોંચાડવામાં અર્જુન મોઢવાડિયાએ કો-આર્ડિનેટરની ભૂમિકા ભજવી હતી. જેમાં રાજ્ય ચૂંટણી પંચ, રિટર્નિંગ ઓફિસર અને ભાજપની ચાલને નિષ્ફળ બનાવવા માટે મોઢવાડિયા સતત પક્ષના નેતાઓ અને લિગલ એક્સપર્ટ્સ સાથે સંપર્ક રાખીને રણનીતિ ઘડવામાં સાથ આપ્યો હતો.

2

બાબુભાઇ માંગુકિયાએ રાજ્યસભાની ચૂંટણીમાં ટેક્નિકલ મુદ્દો ઉઠાવવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. બાબુ માંગુકિયા પડદા પાછળ રહીને બે મત રદ કરવા અંગેની તમામ પ્રક્રિયા અને તેની લગતી કલમો અને કાગળિયાં તેમણે તૈયાર કર્યા હતા. આ બ્રીફના આધારે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસના રજૂઆતો કરી હતી.

3

શક્તિસિંહ ઉપરાંતઅર્જુન મોઢવડિયા તથા બાબુભાઈ માંગુકિયાએ પણ ભાજપનો ખેલ બગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. બાબુભાઇ માંગુકિયાએ ચૂંટણી પંચને રજૂઆત કરવા માટે બ્રીફ તૈયાર કરી હતી. અર્જુન મોઢવડિયા સમગ્ર ચૂંટણી દરમિયાન કો-આર્ડિનેટરની ભૂમિકામાં હતા.

4

રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલે પોતાના મત અમિત શાહને બતાવીને નાંખ્યા તે મુદ્દો ઉઠાવીને શક્તિસિંહે ભાજપની હાલત બગાડી નાંખી. ચૂંટણી પંચે પણ તેમની માગણી માન્ય રાખવી પડી. રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલના મત રદ થયા તેના કારણે અહમદ પટેલને મોટો ફાયદો થઈ ગયો.

5

એનસીપીના જ્યંત પટેલ બોસ્કી અને કાંધલ જાડેજાએ પણ બાપુના કહેવાથી ભાજપને મત આપ્યો હતો. જો કે બીજા 'બાપુ' શક્તિસિંહે પોતાના બંધારણીય જ્ઞાનનો ઉપયોગ કરીને અહમદ પટેલની બગડેલી બાજી સુધારી દીધી. શક્તિસિંહે બે બાગી કોંગ્રેસીઓના મત રદ કરાવીને અહમદ પટેલની જીતનો પાયો નાંખ્યો હતો.

6

સાણંદના ધારાસભ્ય કરમશી મકવાણા ઉપરાંત શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાધવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમિત ચાવડા, સી.કે. રાઉલજી અને ભોળાભાઈ ગોહિલે ક્રોસ વોટિંગ કર્યું હતું. કોંગ્રેસને દગો દેનારા આ આઠ ધારાસભ્યોના જોરે ભાજપના ત્રણેય ઉમેદવારો જીતી જશે તેવી શક્યતા ઉભી થઈ હતી.

7

આ બે 'બાપુ' એટલે શંકરસિંહ વાઘેલા અને શક્તિસિંહ ગોહિલ. કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને વ્હીપ આપ્યો હતો છતાં શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ તમામ ધારાસભ્યો શંકરસિંહ જૂથના છે. આ ઉપરાંત એનસીપીના બંને ધારાસભ્યો પાસે પણ શંકરસિંહે ભાજપની તરફેણમાં મતદાન કરાવ્યું.

8

અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકોની ચૂંટણીમાં જોરદાર ડ્રામ ભજવાયો અને આ ડ્રામામાં બે 'બાપુ'ની ભૂમિકા મહત્વની રહી. મજાની વાત એ છે કે ભાજપને મહાત આપીને જીતનારા કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલનો ખેલ એક 'બાપુ'એ બગાડ્યો હતો તો છેલ્લી ઘડીએ બીજા 'બાપુ'એ ટેકનિકલ મુદ્દો ઉઠાવીને પટેલની બાજી સુધારી લીધી.

  • હોમ
  • ગુજરાત
  • એક 'બાપુ'એ અહમદ પટેલનો ખેલ બગાડ્યો, બીજા 'બાપુ'એ સુધાર્યો, કોંગ્રેસની કઈ ત્રિપુટી ભાજપને પડી ભારે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.