ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના પુત્રના ઉદયપુરમાં શાહી મેરેજ, કોણ બનશે તેમની પુત્રવધુ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jan 2018 12:48 PM (IST)

1
નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન છે.
2
રાજકોટ: લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજના લગ્ન ઉદયપુરમાં યોજાશે.
3
લગ્નની તમામ તૈયારીઓ કરવા માટે હાલ નરેશ પટેલ પરિવારજનો ઉદયપુર પહોંચ્યા છે. જ્યાં શિવરાજના લગ્ન ધોરાજીના ડો.કે.કે. વૈષ્ણવની પુત્રી ચાર્વી સાથે થવા છે.
4
રિસેપ્શનમાં સમાજના આગેવાનો સહિત રાજકીય હસ્તીઓ પણ હાજર રહેશે.
5
શિવરાજ અને ચાર્વી પ્રભૂતમાં પગલા પાડ્યા ઉદેપુરથી રાજકોટ પરત આવશે. ત્યાર બાદ 1 ફેબ્રુઆરીએ રાજકોટમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
6
હાલ ઉદયપુરમાં લગ્ન પહેલાની વિધિઓ શરૂ થઈ ચૂકી છે. શિવરાજ અને ચાર્વી 30 જાન્યુઆરીએ ઉદયપુરમાં જવા રવાના થશે. લગ્નથી મીડિયાને પણ દૂર રાખવામાં આવ્યું છે.