✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નર્મદામાંથી ગુજરાતને વધુ પાણી નહીં મળે, MPની ભાજપ સરકારે કર્યો સ્પષ્ટ ઇનકાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Apr 2018 12:46 PM (IST)
નર્મદામાંથી ગુજરાતને વધુ પાણી નહીં મળે, MPની ભાજપ સરકારે કર્યો સ્પષ્ટ ઇનકાર
1

જાન્યુઆરી 2006માં નર્મદા કંટ્રોલ ઓથોરિટી(NCA)ના એન્વાયોરમેન્ટ સબ ગ્રુપે નક્કી કર્યું હતું કે ઓછામાં ઓછું 600 ક્યુસેક પાણી નર્મદાના નીચાણવાળા 157 કિમી લાંબા ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવશે જેથી નદી તેની કુદરતી જીવંતતા જાળવી શકે. જોકે ગુજરાત સરકારનું કહેવું છે કે નદીને જીવંત રાખવી હોય તો 600 ક્યુસેક પાણી પૂરતું નથી.

2

અમદાવાદઃ મધ્ય પ્રદેશ સરકારે ગુજરાતમાં નર્મદાનું વધારાનું પાણી આપવાની સ્પષ્ટ નાં પાડી દીધી છે. હાલમાં મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર છે અને આગામી વર્ષે એમપીમાં વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે. ગુજરાત સરકારે ભાજપ શાસિત મધ્ય પ્રદેશ સરકાર પાસે નર્મદાને બચાવવા માટે વધારાનું પાણી છોડવા માટે આગ્રહ કર્યો હતો. પરંતુ આગામી ચૂંટણી ભાજપ માટે મહત્ત્વની હોઈ ગુજરાતને વધારે પાણી ન આપવાનો નિર્ણય કર્યો હોવાની અટકળો છે.

3

ગુજરાત સરકારે સુકાઈ રહેલી નર્મદા નદી અને તેની આસપાના વર્યાવરણે બચાવવા માટે ઉપરાંત દહેજ ખાતે આવેલ ઉદ્યોગોની પાણીની જરૂરિયાને પહોંચી વળવા અને નર્મદાના કાંઠે વસતા અને નદી પર નભતા લાખો લોકોના જીવનનિર્વાહ માટે રૂપાણી સરકારે કેન્દ્ર સરકાર પાસે વધારાનું પાણી છોડવની માગ કરવામાં આવી હતી.

4

ઉલ્લેખનીય છે કે હાલમાં સરદાર સરોવર ડેમમાં 600 ક્યૂસેક પાણી છે. ગુજરાત સરકારે વધારાના પાણી માગ કરી હતી જેથી ડેમમાં પાણી વધારીને 1500 ક્યુસેક લઈ જઈ શકાય.

5

છેલ્લા બે વર્ષથી ઉનાળામાં ડેમમાંથી પાણીની જાવક ખૂબ જ ઓછી રાખવામાં આવતી હોવાથી ભરૂચ ખાતે નર્મદા નદી સાવ મૃતપાય હાલતમાં પહોંચી ગઈ છે.

6

ગત જાન્યુઆરીમાં રાજ્યના નર્મદા વિભાગના એડિ. ચીફ સેક્રેટરી એમ.એસ. ડાગુરે જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પત્ર લખીને નદીમાં વધુ પ્રમાણમાં પાણી છોડવામાં આવે તેવી અરજી કરી હતી. ત્યાર બાદ ગત મહિનામાં પણ બીજીવાર કેન્દ્ર સરકારને આ અંગે અરજી કરી હતી. જોકે હજુ સુધી આ મામલે કોઈ જ જવાબ આવ્યો નથી.

  • હોમ
  • ગુજરાત
  • નર્મદામાંથી ગુજરાતને વધુ પાણી નહીં મળે, MPની ભાજપ સરકારે કર્યો સ્પષ્ટ ઇનકાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.