નીતિન પટેલે દીકરાને દાન કરતા રોક્યો હોવાના વીડિયો અંગે સોમનાથ ટ્રસ્ટ્રે શું કરી સ્પષ્ટતા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Aug 2018 09:50 AM (IST)
1
અલગ અલગ મંદિરોમાં જેવી રીતે દાન-ભેટ કરાતી હોય છે તેવી રીતે નીતિન પટેલના પરિવાર વતી ચાંદીનો બાજોઠ અને 11 હજાર રોકડાનું દાન કરાયું છે. આ દ્રશ્યોને લઈને કોઈએ પણ કોઈ પ્રકારની ગેરસમજ ઉભી કરવી નહીં. આ મામલે સોમનાથ ટ્રસ્ટના મેનેજરે પણ સ્પષ્ટતા કરી છે.
2
સોમનાથ ટ્રસ્ટે નાણામંત્રી નીતિન પટેલ અને તેમના પરિવારના દર્શન સમયના એક વીડિયોને લઈને સ્પષ્ટતા કરતાં કહ્યું કે, નીતિન પટેલે પોતાના દીકરાને દાન આપતો અટકાવ્યો નહોતો, પરંતુ એકસાથે દાનની રકમ આપવા જણાવ્યું હતું.
3
સોમનાથઃ સોમનાથ મહાદેવના દર્શને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પરિવાર સાથે આવ્યા હતા. મહાદેવના દર્શન કરતી વખતે નીતિન પટેલનો દીકરો દાન પેટીમાં રૂપિયા નાંખવા જતો હોય છે. તે સમયે નીતિન પટેલ તેમને અટકાવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ સોમનાથ ટ્રસ્ટે આ મુદ્દાને લઈ સ્પષ્ટતા કરી હતી.