પરસોત્તમ સોલંકીને મનાવવા ભાજપ પાસે છે ક્યા ત્રણ વિકલ્પ?
બીજો વિકલ્પ સોલંકીને કેબિનેટ રેન્ક આપીને મત્સ્યોદ્યોગ મંત્રાલય આપવાનો છે પણ સોલંકીને મત્સ્યોદ્યોગ સિવાનું મંત્રાલય જોઈએ છે તેથી આ ફોર્મ્યુલા પણ ચાલે તેવી શક્યતા ઓછી છે. સોલંકીની દલીલ એવી છે કે પોતાનો મોભો વધે અને સમાજની સેવા થઈ શકે તેવું મંત્રાલય તેમને મળવું જોઈએ.
રૂપાણી પાસે ગૃહ, શહેરી વિકાસ જેવાં મહત્વનાં ખાતાં છે ને આ ખાતાં સોલંકીને ના મળે એ સ્વાભાવિક છે. આ સંજોગોમાં રૂપાણી પાસેનું બંદરો કે ખાણ-ખનિજ બેમાંથી એક મંત્રાલય સોલંકીને આપવાની ફોર્મ્યુલા અમલમાં મૂકી શકાય. ભાજપ આ વિકલ્પો અજમાવે છે કે નવો વિકલ્પ લઈ આવે છે તે જોવાનું રહે છે.
સોલંકીને રાજ્ય કક્ષાના પ્રધાન જ રાખીને સ્વતંત્ર હવાલો અપાયો તો તેમની આ ફરિયાદ દૂર થઈ શકે. અલબત્ત સોલંકીએ પોતાનું ખાતું બદલવા ઉપરાંત કેબિનેટ રેન્કની માગણી પણ કરી છે તે જોતાં તે આ વિકલ્પ સ્વીકારે તેવી શક્યતા ઓછી છે. તેમનું કહેવું છે કે પોતે 5 ટર્મથી ચૂંટાય છે ત્યારે કેબિનેટ રેન્ક મળવી જોઈએ.
આ સંજોગોમાં ભાજપ પાસે ત્રીજો વિકલ્પ સોલંકીને કેબિનેટ રેન્ક આપીને બીજું કોઈ ખાતું આપવાનો છે. હાલમાં રૂપાણીએ મહત્વનાં ખાતાં ભાજપના સીનિયર પ્રધાનોને આપી દીધાં છે તેથી તેમનાં ખાતાં લેવાથી નારાજગી થઈ શકે ને એ સંજોગોમાં રૂપાણીએ પોતાનું કોઈ ખાતું સોલંકીને આપવું પડે.
અમદાવાદઃ ગુજરાતની નવી રચાયેલી વિજય રૂપાણી સરકારના રાજય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોતમ સોલંકીએ પોતાને મળેલા ખાતા સામે અસંતોષ વ્યકત કરી ખૂલ્લો મોરચો માંડયો તેના કારણે ભાજપ ભીંસમાં મૂકાયો છે ત્યારે સોલંકીને મનાવવા ભાજપ પાસે ક્યા વિકલ્પો છે તેની ચર્ચા ચાલી રહી છે.
ભાજપ પાસે સોલંકીને મનાવવા માટે ત્રણ વિકલ્પો છે. આ પૈકી પહેલો વિકલ્પ સોલંકીને મત્સ્યોદ્યોગ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો આપી દેવાનો છે. હાલમાં મત્સ્યોદ્યોગ મંત્રાલયના હેબિનેચ કક્ષાના પ્રધાન તરીકે આર.સી. ફળદુ છે. સોલંકીની ફરિયાદ છે કે તેમની પાસે કોઈ ફાઈલ જ આવતી નથી અને કામ જ નથી.