✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PAAS કન્વીનરે નવસારીમાં મોદીને મળવા માગ્યો સમય, જાણો શું લખ્યું પત્રમાં?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Sep 2016 12:20 PM (IST)
1

તેમણે પત્રમાં રજૂઆત કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ દિવ્યાંગોના કાર્યક્રમમાં પોતાનો જન્મદિવસ ઉજવવા આવી રહ્યા છે. સરકારને માથે કરોડોના ખર્ચનો બોજો તિજોરીને પડનાર છે. શાસ્ત્રી જેવા વડાપ્રધાન જોઇએ કે લોકોના કામ કરવા સતત તત્પર રહેતા. સરકારી તિજોરીને બોજો ન પડે તેની સતત કાળજી રાખતા.

2

મોદી તો મન કી બાત કરે છે ત્યારે છેલ્લા એક વર્ષથી પાટીદારો આંદોલન કરી રહ્યા છે, તે માટેના નિરાકરણ માટેની મુલાકાત માગી છે, તેનો પત્ર આપને આપેલ છે તે બાબતે શું પ્રગતિ થઈ અને પાટીદાર પ્રતિનિધિઓને ક્યારે મળશે તેનો ચોક્કસ સમય, સ્થળની માહિતી આપશો.

3

નવસારીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે શનિવારે નવસારી ખાતે પોતાના જન્મદિવસની ઉજવણી માટે આવી રહ્યા છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર દ્વારા તેમની મુલાકાત માટે સમય માગ્યો છે. નોંધનીય છે કે, મોદી નવસારી ખાતે દિવ્યાંગો સાથે તેમના 67માં જન્મદિવસની ઉજવણી કરવાના છે. આ પ્રસંગે નવસારી પાસના કન્વીનર કનુ સુખડિયા દ્વારા મોદી સાથે મુલાકાતની માગણી કરવામાં આવી હતી. તેમણે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પાટીદારો સાથે ઓરમાયુ વર્તન કરાઈ રહ્યું છે. પાટીદારોની મન કી બાત કહેવા દસ દિવસથી પત્રો લખાઈ રહ્યા હોવા છતાં તેનો કોઈ ઉત્તર અપાતો નથી.

  • હોમ
  • ગુજરાત
  • PAAS કન્વીનરે નવસારીમાં મોદીને મળવા માગ્યો સમય, જાણો શું લખ્યું પત્રમાં?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.