✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, PM બન્યા બાદ સાતમી યાત્રા, કાલે 67માં જન્મદિવસે માતા હીરાબાના આશીર્વાદ લેશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Sep 2016 07:20 AM (IST)
1

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે રાજ્યમાં યોજનારા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા તેમજ માતાના આશીર્વાદ લેવા 16 સપ્ટેમ્બરે સાંજે અમદાવાદ આવી રહ્યા છે. તેમના આગમન સમયે એરપોર્ટ પર કોઈ સમાજ કે સંસ્થા દ્વારા દેખાવો કે પ્રદર્શન ન થાય તેની તકેદારી રાખવાની સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એરપોર્ટ પર વિવિધ સુરક્ષા એજન્સીઓની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે રાતે લગભગ 9 વાગે એરફોર્સના ખાસ વિમાનમાં અમદાવાદ આવી પહોંચશે. તેમના સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના તમામ સભ્યો તેમજ ભાજપના તમામ પ્રદેશ હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહેશે. મોદીના આગમન પહેલા એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એસપીજી, રો, આઈબી, સ્થાનિક પોલીસ સહિત સેનાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

2

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મીએ રાત્રે રાજભવન આવવાના છે.ત્યારે શહેરના 500 કાર્યકરો તેમના સ્વાગત માટે એરપોર્ટ જશે.17મીએ રાયસણમાં વૃંદાવન બંગલોઝમાં તેમના માતાનાં આશીર્વાદ લેવા જવાના છે. ત્યારે કોબાથી રાયસણ અને રાજભવન જવા સહિતના તમામ માર્ગની સફાઇ કરી દેવાઇ છે. આ સમગ્ર રોડ પરથી લારી-ગલ્લા સહિતના દબાણ હટાવી દેવાયા છે. રખડતાં ઢોરને પકડીને કે ખદેડીને દુર મોકલી દેવાયા છે. ઉપરાંત વિશેષરૂપે તો વિશાળ ખુલ્લા પ્લોટ્સમાં ઉગી નીકળેલા વરસાદી ઘાસ કાપવા માટે પણ જેસીબી કામે લગાડાયા છે. હિરાબા જ્યા રહે છે. તે વૃંદાવન બંગલોઝ સહિત આસપાસના તમામ વિસ્તારને સુરક્ષાના દાયરામાં લઇ લેવાયા છે અને માર્ગોની બન્ને બાજુઓને પણ સ્વચ્છ કરવા સાથે વરસાદી ગાબડાં પુરી દેવાયા છે.મહાનગર પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે કહ્યું કે વડાપ્રધાનના જન્મ દિવસ સંબંધે સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રૂટનું વિતરણ તથા સેક્ટર 30ની ઝૂંપડપટ્ટીમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાશે.

3

વહેલી સવારે તેઓ ગાંધીનગરના બાવીસ સેક્ટરના પંચદેવ મંદિરમાં દર્શન કરશે, ત્યાંથી રાયસણ ખાતે તેમના લઘુબંધુના ઘરે રહેતા માતાના આશીર્વાદ મેળવશે. નવસારીમાં યોજાનારા કાર્યક્રમમાં રૂ. 8 કરોડની સાધન સહાયનું 15 હજાર દિવ્યાંગ બાળકોને વિતરણ થશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાની આજે સમીક્ષા પણ કરી હતી.

4

મોદના જન્મદિવસે સુરતવાસીઓ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વિક્રમજનક પસ્તીનું દાન કરવાના છે. એક આયોજન પ્રમાણે એક લાખ 30 હજાર કિલો પસ્તી એકઠી કરી તેમાંથી પ્રાપ્ત થનારી રકમનો ચેક વડાપ્રધાન રિલીફ ફંડ માટે નરેન્દ્ર મોદીને અર્પણ કરવામાં આવશે. 16મીએ રાત્રે નવ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થશે. જ્યાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, તમામ મંત્રીઓ અને પ્રદેશ નેતાઓ સહિત હજારો કાર્યકરો તેમનું સ્વાગત કરશે. અહીંથી તેઓ રાજભવન જશે. રાતવાસો ત્યાં કરશે.

5

ગાંધીનગર: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તેમનો 67મો જન્મદિવસ છે. જન્મદિવસે તેઓ માતાના ખાસ આશીર્વાદ મેળવશે અને એ જ દિવસે દાહોદના લીમખેડા તથા નવસારીના જલાલપોર ખાતે બે મહત્વના જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. નવસારીનો કાર્યક્રમ દિવ્યાંગ બાળકોને સહાય વિતરણનો છે. સુલભ્ય દિવ્યાંગ મેગા કેમ્પમાં 10 હજારથી વધુ દિવ્યાંગ બાળકોને સાધન સહાયનું એકસાથે વિતરણ કરી એક અનોખો વિક્રમ રચવામાં આવશે.

  • હોમ
  • ગુજરાત
  • મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, PM બન્યા બાદ સાતમી યાત્રા, કાલે 67માં જન્મદિવસે માતા હીરાબાના આશીર્વાદ લેશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.