✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપના આશિર્વાદથી હાર્દિક પટેલ સામે પાટીદારોના જૂથે ખોલ્યો નવો મોરચો, જાણો કોણે લીધી આગેવાની?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Feb 2017 09:56 AM (IST)
1

ગુજરાતના ફરી ગુજરાત પ્રવેશ બાદ હાર્દિકની ગતિવિધિ રાજકીય બની રહી છે ત્યારે આગામી ચૂંટણીમાં મુકાસન રોકવા ભાજપના આશિર્વાદથી આ મોરચો ખૂલ્યો હોવાનું કહેવાય છે. અગાઉ ભાજપે પાસના અસંતુષ્ટોને તથા સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી)ને પોતાની તરફ વાળવા પ્રયાસો કરી જોયા હતા. પરંતુ તેમાં ફાવટ આવી ન હતી.

2

બે વર્ષ પૂર્વે પાટીદાર અનામત આંદોલનના નામે શરૂ થયેલી સામાજિક ચળવળ હવે ચૂંટણી ટાણે રાજકીય સ્વરૂપ ધારણ કરી ચૂકી છે તે બાબત ભાજપ માટે મુસિબત ઊભી કરી શકે છે. નવ મહિનાનો કારાવાસ અને ગુજરાતમાં પ્રવેશબંધી પછી પણ હાર્દિક પટેલની આક્રમકતા ઘટવાને બદલે વધી રહી છે.

3

પાટીદાર સમાજના પાંચસો જેટલા આગેવાનોની હાજરીમાં સમિતીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વિનોદ પટેલની પસંદગી કરાઈ હતી. ઉપાધ્યક્ષપદે સચિન પટેલ, સંગઠન મંત્રી તરીકે મુકુંદ પટેલ, રાષ્ટ્રીય પ્રવકતા તરીકે તેજસ પટેલ, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે ચિરાગ પટેલ અને ખોડાભાઇ પટેલની પસંદગી કરવામાં આવી છે.

4

આ બેઠકમાં આક્ષેપ કરાયા કે હાર્દિક પટેલ ગુજરાતની શાંતિ ડહોળાય, વર્ગવિગ્રહ થાય તેવી પ્રવૃત્તિ કરે છે અને પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરી રહ્યો છે તેથી તેનો ખુલ્લેઆમ વિરોધ કરવો જોઈએ. બેઠકમાં નિર્ણય લેવાયો કે પાટીદાર સમાજમાં હાર્દિકની પ્રવૃત્તિને ખુલ્લી પાડવા અને સાચી સમજ આપવા ઘરે ઘરે સમિતિના કાર્યકરો જશે.

5

રવિવારે ચાણસ્મા ખાતે પાસના પૂર્વ આગેવાન વિનોદ પટેલ (સ્વામી)ના અધ્યક્ષ સ્થાને કેટલાક પાટીદારોની બેઠક મળી હતી. આ બેઠકમાં પાટીદાર સંકલન સમિતિની રચના કરવાનો નિર્ણય લઈ સમિતીના હોદ્દેદારોની વરણી કરી હાર્દિકની રીતિ-નીતિ સામે સમાજમાં સાચી સમજ આપવાનું અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

6

હવે ભાજપના જ કેટલાક આગેવાનોએ આ જ વ્યૂહરચનાને આગળ ધપાવીને પાટીદાર સમાજમાંથી કેટલાક આગેવાનોને આગળ ધર્યા હોવાનું મનાય છે. પાસના આગેવાનો આ સમિતીને ભાજપ સમર્થિત મોરચો માની રહ્યા છે અને તેનો પાટીદારો પર કોઈ પ્રભાવ નથી તેવો દાવો કરી રહ્યા છે.

7

અમદાવાદઃ ગુજરાતમાં ખુલ્લેઆમ શાસક પક્ષ ભાજપ સામે મોરચો માડનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ સામે હવે પાટીદાર સમાજમાંથી નવો મોરચો ખૂલ્યો છે. પાસના જ પૂર્વ આગેવાનોએ ભેગા થઇને પાટીદાર સંકલન સમિતિની રચના કરી છે. આ સમિતીને ભાજપના આશિર્વાદ હોવાનું કહેવાય છે.

8

પાસ કન્વીનર હાર્દિક પટેલનો આક્ષેપ છે કે, હાર્દિક સામે ભાજપે યુવા મોરચાના અધ્યક્ષપદે ડો.ઋત્વિજ પટેલની વરણી કરી છે, પણ પાટીદાર સમાજે જ તેનો વિરોધ કર્યો છે એટલે હવે આ નવો મોરચો ખોલાયો છે. પાટીદાર સમાજને ન્યાય માટે અમે આ મોરચાનો પણ લોકશાહી ઢબે સામનો કરીશું.

  • હોમ
  • ગુજરાત
  • ભાજપના આશિર્વાદથી હાર્દિક પટેલ સામે પાટીદારોના જૂથે ખોલ્યો નવો મોરચો, જાણો કોણે લીધી આગેવાની?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.