PM મોદી આવતા મહિને ગુજરાત પ્રવાસે, દ્વારકા-રાજકોટ-વડનગરની લેશે મુલાકાત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Sep 2017 06:16 PM (IST)
1
વડનગરમાં કોલેજ ઉદ્ઘાટન અને રેલવે સ્ટેશન નવીનીકરણ ખાત મુહુર્ત પણ PM મોદી દ્વારા કરવામાં આવશે.
2
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસ પર આવશે. યાત્રાધામ દ્વારકામાં PM મોદી ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે. બેટ દ્વારકા ના પુલનું પણ ખાત મુહૂર્ત પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. દ્વારકા, રાજકોટ, વડનગર અને ભરૂચ જશે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી.
3
ભરૂચ ખાતે ભાડભુત બેરેજના કામનુ ખાત મુહુર્ત પણ PM મોદી દ્વારા કરવામાં આવશે.
4
બેટ દ્વારકામાં બનનારા કેબલ બ્રીજનુ ખાત મુહુર્ત PM મોદી દ્વારા કરવામાં આવશે. રાજકોટમાં બનતા નવા એયરપોર્ટનુ ખાત મુહુર્ત પણ પીએમ મોદી કરશે. આ સાથે જ PM મોદી રાજકોટ-અમદાવાદ 6 લેન હાઈવે નુ ખાત મુહુર્ત પણ કરશે.