ભાવનગર: ઘોઘા ખાતે CM વિજય રૂપાણીએ કઈ મોટી જાહેરાતો કરી, જાણો વિગતે
1) નવા વર્ષ સાથે ગુજરાતનું નવું કદમ 2) રોરો ફેરી સર્વિસ ભારતની સૌથી લાંબી સર્વિસ 3) સૌરાષ્ટ્રથી સુરત દોઢ કલાકમાં પહોંચાશે. 4) લોકોના સમય અને ઈંધણની બચત થશે 5) દરિયાઈ માર્ગે ટ્રાન્સ્પોર્ટેશન શક્ય બન્યુ છે. 6) દુનિયાની વર્લ્ડ ક્લાસ સિસ્ટમ ગુજરાતમાં ઉપલબ્ધ. 7) ફેઝ – 2માં વાહનો સાથેની સુવિધા અપાશે. 8) ગુજરાતમાં બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવા બનશે. 9) ગિફ્ટ સિટી દ્ગારા ઈન્ટરનેશનલ માર્કેટ ગુજરાત આવ્યું. 10) ગુજરાત અનેક ક્ષેત્રે નંબર 1 છે. 11) 24 કલાક વીજળીમાં ગુજરાત નંબર 1 છે.
ભાવનગર: છેલ્લા કેટલાંય વર્ષોથી ગુજરાતીઓ રાહ જોતા હતા તે ડ્રીમ પ્રોજેક્ટનો આજે અંત આવ્યો છે. ઘોઘા દહેજ રો-રો ફેરી સર્વિસનું નરેન્દ્ર મોદીના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાર મહત્વની જાહેરાતો કરી હતી. આ જાહેરાતો કરતાની સાથે જ તાલીઓનો ગડાગડાટ સાંભળવા મળ્યો હતો. જ્યારે સભા ખંડમાં મોદી મોદીના નારા સાંભળવા મળ્યા હતાં.
4) સૌની યોજના થકી ભાવનગરના બે તળાવો ભરાશે
3) શાસ્ત્રીનગર ઓવરબ્રીજની મંજૂરી
2) ભાવનગરના માંઢીયા ખાતે જી.આઇ.ડી.સીની મંજૂરી
1) ભાવનગરના કાળીયાબીડના મકાનોને કાયમી કરાશે. 15 હજારથી વધુ લોકોને લાભ થશે