નરેન્દ્ર મોદીએ તારક મહેતાને આપી શું શ્રધ્ધાંજલિ? ટપુનો કઈ રીતે કર્યો ઊલ્લેખ? જાણો વિગત
મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, સુપ્રસિદ્ધ નાટ્યકાર અને હાસ્ય લેખક તારક મહેતાજીને શ્રદ્ધાંજલી, તેમણે આજીવન વ્યંગ અને કલમનો સાથ ન છોડ્યો. મને તારક મહેતાજીને મળવાનો અનેક વખત તક મળી. જ્યારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે પણ તેમને મળવાની તક મળી.
મોદીએ આગળ ટ્વીટમાં લખ્યું કે, તારક મહેતાજીના લેખનમાં ભારતની વિવિધતામાં એકતા જોવા મળતી હતી. તેમણે ટપુનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, ટપુ સહિત અનેક કેરેક્ટર લોકોના મનમાં વસી ગયા.
અમદાવાદઃ જાણીતા હાસ્ય લેખક અને સાહિત્યકાર તારક મહેતાનું 87 વર્ષે અમદાવાદ ખાતેના નિવાસસ્થાને લાંબી માંદગી બાદ નિધન થયું છે. પરિવારજનોએ તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લેતા બપોરે દોઢ વાગ્યે વીએસ હોસ્પિટલમાં દેહદાન કરશે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલથી તારક મહેતાનું નામ આખા દેશમાં જાણીતું થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તારક મહેતાને શ્રદ્ધાંજલી આપી હતી.