કચ્છની ધરતીમાં અનેરી શક્તિ છે, કંડલા એક પ્રકારનું લઘુ ભારત છેઃ મોદી
સોમવારે બપોરે બે વાગે વડાપ્રધાન ભૂજ પહોંચશે અને ભૂજથી હેલિકોપ્ટર દ્વારા પ્રથમ કંડલા પોર્ટ પહોંચશે. કંડલા પોર્ટ ખાતે રૂપિયા 996 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી કંડલા ખાતે કોસ્ટલ ઇકોનોમિક ઝોનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરશે. દેશમાં 14 કોસ્ટલ ઇકોનોમિક ઝોન વિકસાવવાની વિચારણા થઇ છે તેમાં કંડલા ખાતે પ્રથમ ઝોનની જાહેરાત કરશે. વડાપ્રધાનની મુલાકાતને લઇ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાનની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કચ્છના સાંસદ, ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયા પણ આ પ્રસંગે હાજર રહેશે.
કચ્છની અડધા દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન રૂપિયા 1000 કરોડથી વધુ રકમના વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા ઉપરાંત કચ્છની જનતાને 'સૌની' યોજના થકી મળનારા નર્મદાના નીરના વધામણા કરી જનતાને સંબોધશે. ત્યારબાદ સોમવારે સાંજે ભૂજથી અમદાવાદ આવશે. અહીં એરપોર્ટથી ગાંધીનગર સુધીના માર્ગ પર ઠેર ઠેર તેમના સ્વાગત માટે ભાજપના કાર્યકરો કેસરી સાફામાં ઊભા રહેશે.
તેમણે કહ્યું હતું કે, ભારત આગળ લાવવું હોય તો સારું બદરો જરૂરી છે. કંડલામાં એક હજાર કરોડનું રોકાણ આવી રહ્યું છે. અહીંના લોકોની ખુમારી છે કે કચ્છ ઝડપછી વિકસી રહ્યું છે. કંડલા એક પ્રકારનું લઘુ ભારત છે. કચ્છની ધરતીમાં એક અનેરી શક્તિ છે. પાણીનું મહત્વ કચ્છના લોકો સારી રીતે જાણે છે. 2022 સુધીમાં દેશના ગરીબથી ગરીબ વ્યક્તિ પાસે પોતાનું ઘર હશે.
કંડલા પોર્ટ ખાતે જાહેર કાર્યક્રમ પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના પ્રધાનો ભચાઉ પહોંચશે. ‘સૌની’ યોજના થકી કેડવડિયાથી કચ્છના ટપર ડેમ ખાતેની ૬૦૦ કિમીની સફર પૂરી કરી કચ્છની જનતાને મળનારા નર્મદાના નીરના વધામણા વડાપ્રધાન કરશે. ત્યાર બાદ સાંજે પાંચ વાગે જાહેર જનતાને સંબોધશે. કચ્છ ભાજપે એક લાખની જનમેદની એકત્રિત થાય તેવા પ્રયાસો કર્યા છે. વડાપ્રધાન અહીંથી ભૂજ પરત ફરશે. ભૂજથી વિશેષ વિમાનમાં અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરાશે.
કંડલાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે ભુજ આવી પહોંચ્યા છે. તેઓ સાંજે કંડલા પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકોનું અભિવાદ ઝીલ્યું હતું. કંડલા ખાતે આયોજિત કાર્યક્રમમાં મોદીએ કચ્છી ભાષામાં મોદીએ ભાષણની કરી શરૂઆત કરી હતી. મોદીએ પોતાના ભાષણમાં કચ્છના વખાણ કર્યા હતા. આ સાથે કંડલા પોર્ટના મહત્વ અંગે પણ વાત કરી હતી.