✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પંજાબ, ગોવા બાદ હવે AAPએ શરૂ કર્યું મિશન ગુજરાત, PM મોદીને તેના જ ગઢમાં પડકારવાની તૈયારી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Feb 2017 02:31 PM (IST)
1

નાયકે જણાવ્યું કે, અંતમાં એક માંગપત્ર તૈયાર કરવામાં આવશે જેમાં દરેક બૂથના લોકોની માગ અને ફરિયાદની એક યાદી હશે. આ માંગપત્ર પાર્ટી દ્વારા દિલ્હી, પંજાબ અને ગોવામાં વિધાનસભા ચૂંટણી પહેલા તૈયાર કરવામાં આવેલ ડાયલોગ જેવું જ હશે, જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપવામાં આવશે.

2

હર્ષિલ નાયકે કહ્યું કે, આ કેમ્પેન દ્વારા તે સંગઠિત રીતે ગુજરાતના તમામ 45 હજાર બૂથો સુધી પહોંચશે. તેમણે જણાવ્યું કે, તમામ 45 હજાર બૂથને ખંડ અને સમીતિમાં વહેંચવામાં આવ્યા છે. એક સમીતિમાં 5 બૂથ જ જ્યારે એક એક ખંડમાં 20 બૂથ આવશે. તેમણે કહ્યું કે, કાર્યકર્તા સ્થાનિક સભા દ્વારા લોકો સુધી પહોંચશે અને તેમની પાસેથી હાલની સરકારમાં પડી રહેલી મુશ્કેલી અને ફરિયાદોને સાંભળશે.

3

ગુલાબ સિંહ યાદવે કહ્યું કે, ગુજરાતમાં રાજનીતિથી લઈને વેપાર સુધી બથુ જ અમિત શાહના કહેવા પર ચાલે છે, અને આમ આદમી પાર્ટીને તેને ખત્મ કરવા માગે છે. તેમણે જણાવ્યું કે, આ કેમ્પેન 26 માર્ચ સુધી ચાલશે. આમ તો આમ આદમી પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલ બે વખત ગુજરાતનો પ્રવાસ કરી ચૂક્યા છે અને આપ ગુજરાતના કાર્યકર્તા પણ વિતેલા એક વર્ષથી સત્તાધારી ભાજપ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરતા આવ્યા છે, પરંતુ પક્ષના પ્રવક્તા હર્ષિલ નાયકે કહ્યું કે, રાજ્યમાં આ પાર્ટીનું પ્રથમ પૂર્ણ રાજનૈતિક કેમ્પેન છે, જે પાર્ટીના બૂથ લેવલ સુધી મજબૂતી આપશે.

4

પાર્ટી નેતાઓ અનુસાર, આ કેમ્પેન દ્વારા ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર નિશાન સાધવામાં આવસે. અંગ્રેજી સમાચારપત્ર અનુસાર આમ આદમી પાર્ટીના ગુજરાત અફેર્સ ઇન્ચાર્જ અને દિલ્હી એમએલએ ગુલાબ સિંહ યાદવે જણાવ્યું કે, આ કેમ્પેનનો ઉદ્દેશ્ય ગુજરાનતા લોકોને હાલની સરકાર દ્વારા ઉભો થયેલ ડર, ભ્રષ્ટાચાર, અન્યાય અને શોષણમાંથી મુક્ત કરવાનો છે.

5

નવી દિલ્હીઃ પંજાબ અને ગોવામાં ચૂંટણી લડ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. જ્યાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી થઈ શકે છે. ગુજરાતમાંમાં AAPએ તમામ 182 સીટ પર પોલિટકલ કેમ્પેન ગુજરાત આઝાદી આંદોલન શરૂ કરી દીધું છે જે બે મહિના ચાલશે. હાઈ બ્લડ પ્રેશરને કારણે દિવસમાં ત્રણ વખત ઇન્સ્યુલિન લઈ રહેલ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ત્રણ કલાક સુધી મીટિંગ કરી અને ગુજરાતની તૈયારીની સમીક્ષા કરી.

  • હોમ
  • ગુજરાત
  • પંજાબ, ગોવા બાદ હવે AAPએ શરૂ કર્યું મિશન ગુજરાત, PM મોદીને તેના જ ગઢમાં પડકારવાની તૈયારી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.