રાજકોટ: વિવાદાસ્પદ PSI મેહુલ મારુએ કર્યો આપઘાત, ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Mar 2017 10:19 AM (IST)
1
ઉલ્લેખનીય છે કે મેહુલ મારુ સામે રાજમોતી મીલના બ્રાંચ મેનેજરની હત્યા સંદર્ભે કોર્ટના આદેશ મુજબ એસીપી દ્વારા તપાસ ચાલુ હતી. આ વર્ષની શરૂઆતમાં પ્રેમિકા ઘરે જઈને ધાંધલ ધમાલ કરી હાથની નસ કાપી નાખી હતી. આપઘાત કરી લેનાર પીએસઆઈ મેહુલ મારુ પરિણીત હતા. તેમના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. તેઓ રાજકોટ રહેતા હતા. મોડી રાત્રે આપઘાત બાદ તેમના મૃતદેહને તેમના વતન પાલિતાણા ખેસડાવામાં આવ્યો હતો.
2
રાજકોટ: વિવાદીત PSI મેહુલ મારુએ રાજકોટમાં મોડી રાત્રે આપઘાત કરી લીધો હતો. તેમણે રાત્રે જ ગળે ફાંસો લગાવી જિંદગીને ટૂંકાવી દીધી હતી. જો કે તેમણે કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી બહાર આવ્યું નથી.