✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં ક્યા સવર્ણોને 10 ટકા ઈબીસી અનામતનો લાભ નહીં મળે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jan 2019 10:32 AM (IST)
1

આ ધારાધોરણો જેમને લાગુ પડતાં હશે તેમને ઈબીસી અનામતનો લાભ મળવા માટે લાયક નથી ગણાયા. મતલબ કે, ઈબીસી અનામતનો લાભ લેવા માટે સવર્ણ જ્ઞાતિના હોવાનો અને આવકનો દાખલો જ માન્ય ગણાશે. એ સિવાય બીજો કોઈ પણ દાખલો માન્ય નહીં ગણાય.

2

આ ઉપરાંત કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ)નાં પરિવારો નક્કી કરવા જાહેર કરેલાં ધારાધોરણો પૈકી જે પરિવારની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી હશે એ જ ધારાધોરણનો સ્વીકાર કરાયો છે. આ ધારાધોરણ કરતાં વધારે આવક હશે તેમને ઈબીસી અનામતનો લાભ નહીં મળે.

3

ગાંધીનગરઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સવર્ણો માટે 10 ટકા ઈબીસી અનામતની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે તેનાં ધારાધોરણો જાહેર કર્યાં છે. આ ધારાધોરણો પ્રમાણે ગુજરાતમાં 1978 પહેલાંથી વસતા હશે એવા સવર્ણ સમાજના આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ)નાં પરિવારોને 10 ટકા ઇબીસી અનામતનો લાભ મળશે.

4

કેન્દ્ર સરકારે 5 એકરથી ઓછી ખેતીની જમીન ધરાવનારને અનામતનો લાભ મળે એવાં ધારાધોરણ જાહેર કર્યાં છે પણ આ ધોરણોનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો નથી. કેન્દ્રના નિયમોમાં થોડો ફેરબદલ કરાયો છે અને માત્ર વાર્ષિક આવકનું જ ધારાધોરણ લાગુ પડશે. ખેતીની જમીન, રહેણાંક મકાન સહિતનાં અન્ય ધોરણો લાગુ નહીં પડે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાતમાં ક્યા સવર્ણોને 10 ટકા ઈબીસી અનામતનો લાભ નહીં મળે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.