અમદાવાદઃ આસારામના સાધકનું કપાયેલું ગુપ્તાંગ સ્ટોરરૂમમાંથી મળ્યું, ગુપ્તાંગ કાપવાનું કારણ જાણીને ચોંકી જશો
સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સાધક સુદામા રાઉતની તબિયત હાલ સુધારા પર છે. પરંતુ તે બોલી શકતો ન હોઈ હજુ આ ઘટનાનું રહસ્ય અકબંઘ છે. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે તેની સ્થિતિ વાત કરવા યોગ્ય ન હોઈ તેનું સ્ટેટમેન્ટ હજુ લેવામાં આવ્યું નથી.
સુદામા આશ્રમમાં સાધકોને અવાર-નવાર પૂછતો હતો કે આસારામને જામીન મળશે કે નહીં. એક તબક્કે તો તેણે એવું પણ કહ્યું હતું કે આસારામ જેલમાંથી ન છૂટે તો તે હું ગંગોત્રી જતો રહીશ. સાધક સુદામા ગણગણતો હતો કે જીવનમાં સંસાર છોડી બધુ ત્યાગી દીઘું, હવે જો આસારામ છૂટવાના નહોય તો આ બધું કર્યું તેનો મતલબ શું.
પોલીસે આ મામલે આસારામ આશ્રમના કર્ચારીઓ અને સાધકોના નિવેદન લીધા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આસારામ લાંબા સમયથી જેલમાં હોવાથી સુદામા ડિપ્રેશનમાં આવી ગયો હતો.
આ સર્ચ ઓપરેશન દરમિયાન રૂમના એક ખૂણામાંથી સુદામાનું કપાયેલું અંગ મળી આવ્યું છે જેથી સુદામાની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની અટકળોનો અંત આવ્યો છે. તે સાથે સુદામાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની થિયરી ઉપર તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.
આ મામલે સુદામા સાથે આશ્રમમાં રહેતા સાધકોનું કહેવું છે કે સુદામાએ આસારામના વિરહના દુ:ખમાં જાતે જ પોતાનું અંગ કાપ્યું હતું. પોલીસનું કહેવું છે કે સુદામાનું કપાયેલું અંગ નહીં મળતા સ્ટોરરૂમ સીલ કરી દેવાયો હતો અને ગુરુવારે પોલીસ ટીમે સ્ટોર રૂમમાં સર્ચ ઓપરેશન કર્યું હતું.
અમદાવાદઃ આસારામ આમના સ્ટોર રૂમમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ સાધક સુદામા રાઉતનું કપાયેલું અંગ ચાર દિવસ પછી આશ્રમના સ્ટોરરૂમમાંથી મળી આવ્યું છે. ઉપરાંત આ રૂમમાંથી અંગ કાપવા માટે વપરાયેલો અસ્ત્રો પણ મળી આવ્યો છે. કપાયેલું અંગ શોધવા માટ પોલીસને ચાર દિવસના સર્ચ ઓપરેશન બાદ સફળતા મળી છે.