ભાજપને મહેન્દ્રની જરૂર હતી તો મને પૂછવું જોઈતું હતું કેમ કે મહેન્દ્રની પાછળ શંકરસિંહનું નામ લાગે છે પણ...........
ગાંધીનગરઃ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ શનિવારે અચાનક ભાજપનો ખેસ ધારણ કરી લેતા વાઘેલાએ પોતે એ અંગે નારાજ હોવાની જાહેરાત કરી છે. વાઘેલાએ એમ પણ જણાવ્યું કે, જરૂર પડે તો તેઓ મહેન્દ્રસિંહની વિરુદ્ધ ચૂંટણી પ્રચાર પણ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાપુએ કહ્યું કે, આ રીતે ચોરી છૂપીથી મહેન્દ્રના ભાજપમાં જોડાવાથી સમાજમાં એવો ખોટો સંદેશો જાય કે બાપુ હવે ભાજપમાં આવી ગયા છે, જે હું નથી ઈચ્છતો. સીબીઆઈ હોય કે ઈડી કોઈની સાડાબારી નથી, બાપુ કોઈના બાપથી નથી ડરતા કેમ કે આપણે ક્યારેય કંઈ ખોટું કર્યું જ નથી.
વાઘેલાએ જણાવ્યું કે, ત્રણ દિવસથી મહેન્દ્રસિંહને ભાજપમાં જોડાઈ જવા માટે લલચાવવામાં આવતા હતા. મહેન્દ્રસિંહે શંકરસિંહને જણાવ્યું હતું કે, અમિત શાહે ફોન કરીને ભાજપમાં જોડાઈ જવાની ઓફર કરી છે. મેં તેને કાર્યકરોને પૂછીને નિર્ણય લેવા સલાહ આપી પણ તેણે જાતે જ નિર્ણય લઈ લીધો.
વાઘેલાએ ભાજપને પણ આડે હાથ લીધો હતો. વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપને પણ મહેન્દ્રની જરૂર હતી તો પહેલાં મને એક વાર પૂછવું જોઈતું હતું કારણકે મહેન્દ્રસિંહની પાછળ શંકરસિંહનું નામ લાગે છે પણ ભાજપે પણ મને પૂછવાનું સૌજન્ય દાખવ્યું નથી.
વાઘેલાએ કહ્યું, ‘મેં મહેન્દ્રસિંહને કહ્યું કે, તમે પુખ્ત અને પીઢ રાજકારણી છો, ભાજપમાં જોડાવું કે નહીં તે તમારે નક્કી કરવાનું છે પરંતુ એ પહેલાં રાજ્યભરમાં વરસોથી સાથ આપનારા સમર્થકોને મળીને તેમનો મત જાણવો જરૂરી છે. આ મત જાણી લીધા પછી જ કોઈ પગલું ભરજો પણ મહેન્દ્રે મારી સલાહને અવગણી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -