આતંકી હુમલાની આશંકાને પગલે સોમનાથ મંદિરની સુરક્ષામાં કરાયો વધારો
ડીવાયએસપીના સીધા માર્ગદર્શન હેઠળ એક પીઆઇ, એક પીએસઆઇસ અને એસઆરપીની કંપની અને 25 સ્થાનિક પોલીસના જવાનો તૈનાત કરાયા છે. ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિર પહેલાથી જ આતંકીઓના હિટ લીસ્ટમાં છે, અને મંદિરને છેલ્લા કેટલાક વર્ષોથી ઝેડ કક્ષાની સિક્યોરીટી પુરી પાડવામાં આવી રહી છે. તે સિવાય દ્ધારકા મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરાયો છે.
મળતી વિગતો અનુસાર, આતંકી હુમલાની શંકાને પગલે સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામા આવ્યો છે. જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ સોમનાથ મંદિરમાં તૈનાત કરવામાં આવી છે, તે સિવાય ડૉગ સ્ક્વોડની ટીમ દ્વાર સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.
રાજકોટઃ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ માટે કામ કરનારા બે આતંકીઓ ગુજરાતમાંથી ઝડપાયા બાદ ગુજરાત પોલીસ એલર્ટ થઇ ગઇ છે. આતંકી ભાઇઓને ઝડપનારી ગુજરાત એટીએસના મતે આતંકીઓના નિશાના પર સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો છે તેવામાં સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. એટીએસના કહેવા પ્રમાણે, બંન્ને આતંકી ભાઇઓ ચોટીલા મંદિર પર બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા હતા.