અજમેરમાં આતંકી હુમલોઃ ભરૂચનો RSSનો સ્વયંસેવક દોષિત, બીજા ત્રણ ગુજરાતી નિર્દોષ, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે, એન.આઇ.એ. દ્વારા મફત ઉર્ફે મહેશ મણિલાલ ગોહિલ અને હર્ષદ ઉર્ફે મુન્નો રાવજીભાઇ પરમારની અજમેર બ્લાસ્ટના કેસમાં ધરપકડ કરી હતી. જોકે, એનઆઇએની વિશેષ અદાલતે બંન્નેને નિર્દોષ છોડી મુકતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, બંન્ને યુવક વિરુદ્ધ બેસ્ટ બેકરી કેસનો ટ્રાયલ હજી બાકી છે.
2007માં થયેલા અજમેર દરગાહ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવણી બદલ ગોધરાના મુકેશ વસાણીની એટીએસ ટીમે 2010 માં ગોધરા ખાતેથી ધરપકડ કરી હતી. જોકે, ગોધરાના મુકેશ વસાણીને પણ આ કેસમાં નિર્દોષ જાહેર કરાતા તેમના ઘરે ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.
ભરૂચના બહાદુર બુરજ વિસ્તારમાં રહેતાં ભાવેશ પટેલને અજમેર બોંબ બ્લાસ્ટમાં એનઆઇએની વિશેષ અદાલતે દોષિત ઠેરવ્યો છે. આગામી 16 માર્ચે આ અંગેની સજા જાહેર કરવામાં આવશે. ભાવેશ પટેલના માતા-પિતા અને ભાઇ હાલ ભરૂચ ખાતે રહે છે. ભાવેશ પટેલ સંઘની વિચારસરણી ધરાવતો હતો. ભરૂચ શહેરમાં 2002માં થયેલાં કોમી રમખાણોમાં ધાર્મિક સ્થાન પર બોંબ ફેંકવાના ગુનામાં ભાવેશ પટેલની સંડોવણી બહાર આવી હતી.
નવી દિલ્લીઃ અજમેર બ્લાસ્ટ કેસમાં વડોદરાના હર્ષદ સોલંકી અને મફત પરમારને નિર્દોષ જાહેર કરાતા તેમના પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી. જ્યારે ભરૂચના બહાદુર બુરજ વિસ્તારમાં રહેતાં અને સંઘની વિચારસરણી ધરાવતા ભાવેશ પટેલને અજમેર બોંબ બ્લાસ્ટમાં એનઆઇએની વિશેષ અદાલતે દોષિત ઠેરવ્યો હતો.