✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટીદારોને ચર્ચા માટે સરકારનું ખુલ્લુ નિમંત્રણ, શું કહ્યું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Aug 2016 11:09 AM (IST)
1

રવિવારે ચાણસ્મા ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનના સમાધાન માટે રાજ્ય સરકાર ઉદાર છે અને પાટીદાર આગેવાનોને ચર્ચા માટે આગળ આવવા સરકારનું ખુલ્લુ નિમંત્રણ છે. નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો સૌપ્રથમ અભિવાદન સમારોહ પાટીદારોના ગઢ ચાણસ્મામાં રવિવારે યોજાયો હતો. નીતિન પટેલનું પાટીદાર સહિતના તમામ સમાજો દ્વારા બહુમાન કરાયું હતું.

2

આ સમારોહમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હું કે મને નાયબ મુખ્યમંત્રી બનાવીને ગુજરાતના વિકાસની જવાબદારી સોંપાઇ છે ત્યારે પાટીદાર સહિત તમામ સમાજને મને સહકાર આપવા વિનંતી છે. કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં નીતિન પટેલે સ્પષ્ટણે જણાવ્યું કે, પાટીદાર સમાજ પહેલેથી જ ભાજપ સાથે રહ્યો છે અને પાટીદારો સાથે સરકારનું મન પણ ઉદાર રહ્યું છે ત્યારે આંદોલન અંગે સમાધાન થાય તે માટે ચર્ચા કરવા પાટીદારોને સરકારનું ખુલ્લુ નિમંત્રણ છે.

3

ચાણસ્મા: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજેલા પાટીદાર મહાસંમેલનને એક વર્ષ પૂરું થવામાં છે ત્યારે પાટીદારોએ 25 ઓગસ્ટને ક્રાંતિ દિન અને 26 ઓગસ્ટને શહીદ દિન તરીકે મનાવવા તૈયારીઓ શરૂ કરી છે. આ ઉજવણીના બહાને પાટીદાર આંદોલન ફરી ભડકાવાય નહીં એ માટે રાજ્ય સરકાર સતર્ક બની છે અને રાજ્ય સરકારે પાટીદારો સાથે નવેસરથી ચર્ચા કરવા તૈયારી બતાવી છે.

  • હોમ
  • ગુજરાત
  • પાટીદારોને ચર્ચા માટે સરકારનું ખુલ્લુ નિમંત્રણ, શું કહ્યું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.