✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અંબાજીમાં પ્લાસ્ટિક પ્રતિબંધના મુદ્દે વેપારીઓએ રોડ પર ટાયરો સળગાવ્યા પછી પોલીસે શું કર્યું? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Sep 2018 01:53 PM (IST)
1

2

3

4

વહેલી સવારથી વેપારીઓ રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પોલીસે મામલો થાળે પાડવા માટે વેપારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો જેથી મામલો વધુ બિચક્યો હતો અને બાદમાં વેપારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. વેપોરીઓ 20 માઈક્રોન ઉપરની પ્લાસ્ટિકની કેરી બેગનો ઉપયોગ કરવા દેવા માંગ કરી છે.

5

અંબાજી ભાદરવી પૂનમના મેળાનાં માત્ર 10 દિવસ બાકી છે ત્યારે વેપારીઓમાં ફાટી નિકળેલો રોષ ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતા દર્શાવી રહી છે. આ સાથે જ યાત્રિઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંબાજીમાં પ્લાસ્ટિકના પ્રતિબંધ મુદ્દે વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

6

ગઈકાલે અધિકારીઓ દ્વારા પ્રતિબંધિત બ્લાસ્ટિક ઉપર રેડ કરવામાં આવી હતી. જેના કારણે વેપારીઓ રોષે ભરાયા હતા. અંબાજીમાં આજે વેપારીઓએ વેપાર ધંધા બંધ કરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. વેપારીઓએ કલેક્ટર અને DDO વિરૂદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યાં હતા.

7

અંબાજી: ભાદરવી પૂનમના મેળાના 10 દિવસ બાકી છે ત્યારે પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને આજે અંબાજીમાં વેપારીઓનું ઉગ્ર પ્રદર્શન જોવા મળ્યું હતું. પ્રતિબંધના કારણે વેપારીઓ પોતાના વેપાર ધંધા બંધ કરીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. રોષે ભરાયેલા વેપારીઓએ અંબાજી ખોડી વકલી સર્કલ પાસે ટાયરો સળગાવીને ઉગ્ર વિરોધ કરીને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. મામલો ઉગ્ર થતાં પોલીસે વેપારીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો.

  • હોમ
  • ગુજરાત
  • અંબાજીમાં પ્લાસ્ટિક પ્રતિબંધના મુદ્દે વેપારીઓએ રોડ પર ટાયરો સળગાવ્યા પછી પોલીસે શું કર્યું? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.