નવસારી: બેડરૂમમાં મૃત હાલતમાં મળી પરિણીતા, માતાને મૃત હાલતમાં જોતા પુત્રએ કરી બૂમાબૂમ
ગ્રામ્ય પોલીસ પીઆઇ આર.એસ ડોડિયાના કહેવા પ્રમાણે, શીતલ દેસાઇના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોતા પોલીસે હત્યાની દિશામાં તપાસ શરૂ કરી છે. બાદમાં જો હત્યાના પુરાવા મળશે તો તે પ્રમાણે કાર્યવાહી હાથ ધરાશે.
પોલીસે ઘટનાની વધુ તપાસ અર્થે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો મૃતકના શરીર પર તીક્ષ્ણ વસ્તુથી ઘા કરાયા હોવાની ચર્ચાને લઈ ચોરી કે લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટનાને પગલે ગ્રામ્ય પોલીસ પણ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. તેમણે એફએસએલને જાણ કરતા એફએસએલની ટીમે પણ તપાસ શરૂ કરી હતી. મૃતકના પ્રતિક દેસાઈએ ગ્રામ્ય પોલીસને પોતાની પત્નીએ આપઘાત કર્યાની જાણ કરી હતી. જેથી પોલીસે તેની નોંધ લઈ આગળની તપાસ પીઆઈ આર.એસ.ડોડીયાએ હાથ ધરી છે.
નવસારીઃ નવસારીના જમાલપોરમાં પરિણીતાએ ઘરમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. મળતી વિગતો અનુસાર, સર્વોદયનગર સોસાયટીમાં રહેતા પ્રતિકભાઈ જીતેન્દ્ર દેસાઈના પત્ની શીતલબેન દેસાઇની ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકના શરીર પર કેટલાક તીક્ષ્ણ વસ્તુના નિશાનો મળી આવ્યાની ચર્ચા ચાલી રહી છે. પોલીસે પરિણીતાનો આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારીના જમાલપોર ગામે સર્વોદયનગર સોસાયટીમાં પ્રતિકભાઈ જીતેન્દ્ર દેસાઈ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની શીતલ અને એક દીકરો છે. તેમના માતા-પિતા આમરી રહે છે. બપોરના 3 કલાકની આસપાસ પ્રતિકના પત્ની શીતલબેન દેસાઈ (ઉ.વ. 37)ની લાશ ઘરના ગ્રાઉન્ડ ફલોર પરના બેડરૂમમાં લેપટોપના વાયરને પંખા સાથે બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી.
શીતલબેનને આઠ વર્ષનો દીકરો છો. તેણે બેડરૂમમાં મમ્મી લાશને લટકતી જોઇ તો તેણે બૂમાબૂમ કરી બધાને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં મૃતકના પતિ પણ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાની તેમણે ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરી હતી.