ભાવનગરઃ વિધવાને યુવક સાથે બંધાયા પ્રેમસંબંધ, જાણો શું આવ્યો કરુણ અંજામ?
ગઈ કાલે રાતે બોરડાની હાઇસ્કૂલ પાછળથી શાંતુબેનની લાશ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં શાંતુબેનની ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે મહિલાની દીકરીએ પોલીસને જણાવ્યું હતું કે, માતાના પ્રેમીએ જ હત્યા કરી છે. જોકે, હાલ તો આરોપી ફરાર છે, પરંતુ પોલીસે ટૂંક સમયમાં જ આરોપી ઝડપાય જશે, તેમ જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટનાની વિગતો એવી છે કે, તળાજા તાલુકા બોરડા ગામમાં રહેતી શાંતુબેન બાંભણીયાના પતિ ધીરુભાઈએ આજથી બે વર્ષ પહેલા આપઘાત કરી લેતાં શાંતુબેન વિધવા થયા હતા. આ પછી તેઓ 15 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરીનું ભરણપોષણ કરવા માટે છૂટક મજૂરી કરતાં હતા. દરમિયાન તેમને ગામનાજ યુવક મકા વાલજી ભાલીયા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા.
ભાવનગરઃ તળાજા તાલુકાના બોરડા ગામમાં રહેતી વિધવા મહિલાની તેના જ પ્રેમીએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. બે સંતાનોની માતાને તેનો પ્રેમી જ હત્યા કરીને ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. નોંધનીય છે કે, આજથી બે વર્ષ પહેલાં વિધવાના પતિએ આત્મહત્યા કરી લીધા પછી મહિલા એકલી પડી ગઈ હતી અને આ પછી આ યુવક સાથે તેના પ્રેમસંબંધ બંધાયા હતા. આ અંગે ગામમાં ભારે ચર્ચા પણ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -