✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગૃહ મંત્રાલયની 'આપ'ને નોટિસ, કહ્યું- વિદેશથી મળેલ દાનની વિગતો આપો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 May 2017 11:52 AM (IST)
1

પાર્ટીની દલીલ છેકે સામાન્ય રીતે એફસીઆરએ અંતર્ગત દાન આપનારનું નામ અને પાન નંબરની વિગતો માગવામાં આવતી હોય છે. ઉપરાંત પાર્ટીએ રાજનીતિક દળને દાન આપનારા લોકોની યાદી આપવી પણ વ્યવહારિક ન હોવાની દલીલ આપતા તેને કેન્દ્ર સરકારનો આમ આદમી પાર્ટી સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર ગણાવ્યો છે.

2

આપના એક નેતાએ નોટિસ મળ્યાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, હાલમાં જ પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન આપને મળેલ વિદેશી દાનની સંપૂર્ણ વિગતો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. નોટિસમાં વિદેશી દાન આપનાર અને સ્ટેકહોલ્ડરની યાદી તથા તેના દ્વારા આપવામાં આવેલ રકમની વિગતો માગવામાં આવી છે.

3

નવી દિલ્હીઃ દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટી (આપ)ને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોટિસ ફટકારી છે. તેમાં આમ આદમી પાર્ટીને વિદેશથી મળેલ દાનની વિગતો માગવામાં આવી છે. મંત્રાલય તરફથી શુક્રવારે વિદેશી સહાયતા નિયમન કાયદો 2010 (એફસીઆરએ) અંતર્ગત આપને જારી નોટિસમાં પાર્ટીને જુદા જુદા દેશમાંથી મળેલ દાનની વિગતો માગવામાં આવી છે. સૂત્રો અનુસાર, નોટિસમાં મંત્રાલય દ્વારા પાર્ટીને એ વાતની વિસ્તૃત જાણકારી આપવા માટે 16 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ગૃહ મંત્રાલયની 'આપ'ને નોટિસ, કહ્યું- વિદેશથી મળેલ દાનની વિગતો આપો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.