રાધે મા, આસારામ, નિર્મલ બાબા છે પાખંડી સંત, અખાડા પરિષદે 14 નકલી બાબાઓની યાદી બહાર પાડી
આ યાદીમાં સચ્ચિદાનંદ ગિરી ઉર્ફે સચિન દત્તાનું નામ પણ સામેલ છે, જેને અલ્હાબાદમાં જ મહંત નરેન્દ્ર ગિરિની દેખરેખમાં મહામંડલેશ્વર બનાવવામાં આવ્યો હતો. જોકે પછીથી આ મામલે હાથ ખંખેરતા નરેન્દ્ર ગિરીએ કહ્યું કે સચિન વિશે તેમને સાચી માહિતી આપવામાં આવી ન હતી. અખાડા પરિષદે તેનું સન્માન પાછું લઇ લીધું હતું. રામ રહીમની ઘટના બાદ આ હિન્દુ ધર્મના આગેવાનોએ હિલચાલ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆસારામને આ યાદીમાં સામેલ કરાતાં તેણે બે દિવસ પહેલાં જ મહંતને ધમકી આપી હતી. જેની ફરિયાદ પણ નોંધાઇ હતી. જોકે આ ધમકીને મચક આપ્યા વગર પરિષદે લિસ્ટમાં પહેલું જ નામ આસારામનું મૂક્યું છે.
અખિલ ભારતીય અખાડા પરિષદ દેશભરમાં ૧૩ અખાડાનું સંગઠન છે. જેમાં મોટી સંખ્યામાં સંતોનો સમાવેશ છે. તેને હિન્દુ ધર્મમાં ટોચનું સ્થાન મળેલું છે. અખાડા તરફથી કહેવાયું છે કે સ્વયંભૂ બની બેઠેલા બાબાઓના ખોટા કામોને કારણે ધર્મ અને સમાજને નુકસાન થાય છે અને તે કારણે બનાવટી સંતોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
અખાડા પરિષદની અલ્હાબાદમાં યોજાયેલી કારોબારીની બેઠકમાં આ યાદીમાં સમાવાનારા નામો અંગે નિર્ણય લેવાયો હતો. આ સંતો પર પ્રયાગમાં યોજાનારા કુંભ મેળામાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ સાથે જ અખાડા પરિષદ સનાતન ધર્માવલંબીઓને આ બાબાઓથી દૂર રહેવા માટે જાગૃત કરશે.
લખનઉઃ અખિલ ભારતીય અખાડા પરિષદે દેશના 14 નકલી બાબાઓની યાદી બહાર પાડી છે. અલાહબાદમાં પોતાની કાર્યકારિણીની બેઠકમાં આ બાબાઓની યાદી જારી કરવામાં આવી છે. આ યાદીમાં આસારામ ઉર્ફ આશુમલ શિરમાની, સુખવિંદર કૌર ઉર્ભ રાધે માં, સચ્ચિદાનંદ ગિરિ ઉર્ફે સચિન દત્તા, ગુરુમીત રામ રહીમ સિંહ, ઓમબાબા ઉર્ફે વિવેકાનંદ ઝા, નિર્મલ બાબા ઉર્ફે નિર્મલજીત સિંહ, ઇચ્છાધારી ભીમાનંદ ઉર્ફે શિવમૂર્તિ દ્વિવેદી, સ્વામી અસીમાનંદ, ઓમ નમ: શિવાય બાબા, નારાયણ સાઇ, રામપાલ, આચાર્ય કુશમુનિ, બૃહસ્પતિગિરિ, મલખાન સિંહના નામ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -