અટલજીના અસ્થિ વિર્સજન સમયે બોટમાં શું દેખાયું? નેતાઓ જોઈને દંગ રહી ગયા
નવી દિલ્હી: દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી દ્વારા ટ્વીટ કરાયેલ અટલ બિહારી વાજપેયી અસ્થિ વિસર્જનનો એક ફોટો મંગળવારના રોજ ચર્ચાનો વિષય બન્યો છે. આ ફોટોમાં તિવારી સહિત ભાજપ નેતા એક બોટ પર જોવા મળી રહ્યા છે અને અસ્થિ વિસર્જન કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ વડાપ્રધાનનું લાંબી બીમારી બાદ 93 વર્ષની ઉંરમાં 16મી ઓગસ્ટના રોજ દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં નિધન થયું હતું.
દિલ્હી ભાજપના મહાસચિવ અને યાત્રાના સંયોજક કુલજીત ચાહલે કહ્યું કે, યાત્રામાં કેટલાંય લોકો સામેલ થયા હતા. વાજપેયી શ્રદ્ધાંજલિ આપવા માટે નીકાળેલ યાત્રા દિલ્હીના કેટલાંય વિસ્તારોમાંથી પસાર થઇ હતી. વાજપેયીની અસ્થિઓનું તિવારી અને અન્ય વરિષ્ઠ નેતાઓએ સોનિયા વિહારમાં યમુના નદીમાં વિસર્જિત કર્યા હતાં.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ તિવારી પણ આ ફોટોને લઈ અચંબિત થઈ ગયા હતાં. તેમનું કહેવું છે કે, હું દૈવી શક્તિઓને માનું છું અને આ ફોટો પણ ઈશારો કરી રહ્યો છે કે યમુનાને સાફ રાખવાની છે.
તેમાંથી એક ફોટોમાં એક હાથ બોટોમાં નીચેની તરફ જોવા મળી રહ્યો છે. તમામ માટે આ કૌતુહલનો વિષય બન્યો છે કે આખરે આ હાથ કોનો છે? બીજા ફોટોમાં આ હાથ બિલકુલ જોવા મળી રહ્યો નથી. આ ફોટો પણ એ જ બોટનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -