રામ રહીમની સજા પર રામદેવે કહ્યું- કોર્ટે સાબિત કરી દીધું છે કે, કાનૂનથી કોઈ નથી બચી શકતું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Aug 2017 07:59 AM (IST)
1
રોહતક આવનારી તમામ ગાડીઓનું સઘન તપાસ કરવામાં આવી રહી છે. આવતા જતા લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે. શહેની અંદર અને બહાર પણ કડક સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. ધારા 144 પણ લગાવવામાં આવી છે.
2
તેના પહેલા 25 ઓગષ્ટે પંચકુલીમાં કોર્ટ દ્વારા દોષી જાહેર કર્યાબાદ ડેરા સમર્થકોએ ભારે હિંસા ફેલાવી હતી. જેમાં 38 લોકોના મોત થયા હતા. તેને લઈને તંત્ર હાઈ એલર્ટ હતું. જેલની આસપાસના વિસ્તારમાં પણ સઘન સુરક્ષા માટે હજારો પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
3
નવી દિલ્લી: ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને સોમવારે સીબીઆઈની વિશેષ અદાલતે બળાત્કારના બે કેસમાં 20 વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે બચાવ પક્ષની દલીલોને માનવા ઈનકાર કરી દીધું હતું. રામ રહીમને સજા પર યોગ ગુરુ બાબા રામદેવે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોર્ટે ઉદાહરણ આપી દીધું છે કે, કાયદાથી કોઈ જ નથી બચી શકતું.