યુવાઓ માટે PM મોદીને મળવાની ઉત્તમ તક, જાણો કેવી રીતે મળશે તક

આઈઆરસીટીસીના અંતર્ગત આદર્શ વાક્ય સૂચન સ્પર્ધાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. આ સ્પર્ધાના વિજેતાને 50 હજારનું રોકડ ઈનામ આપવામાં આવશે.
આઈઆરસીટીસી અંતર્ગત લોગો અને પંચલાઈન બનાવવાની સ્પર્ધાની છેલ્લી તારીખ 26 માર્ચ છે. તેમાં વિજેતાઓને 75 હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર મળશે.
આ સ્પર્ધા અંતર્ગત પ્રતિસ્પર્ધીઓને આઈઆરસીટીસીની જગ્યાએ નવું નામ શોધવાનું છે. સારા નામ સજેસ્ટ કરનારા પ્રતિભાશાળી યુવાનોને 1 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર મળશે. આ સ્પર્ધામાં ઓનલાઈન ભાગ લેવાની અંતિમ તારીખ 31 માર્ચ છે.‘નાઈલેટ’ના નિર્દેશક રવિ શેખરે જણાવ્યું કે હાલમાં ખૂબ ઓછા પ્રતિસ્પર્ધીઓએ પોતાના સૂચનો મોકલ્યા છે. તેના વ્યાપક પ્રમાણમાં પ્રચાર અને પ્રસારની જરૂરિયાત છે. જેથી ગ્રામિણ સ્તરના પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળી શકે.
નવી દિલ્લી: હવે દેશના યુવાઓ પોતાની પ્રતિભાના જોરે PM મોદીને મળી શકશે. યુવાનોને આ તક સરકારની વેબસાઈટ My Gov પર મળશે. આ માટે યુવાનોને સૌથી પહેલા આ વેબસાઈટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. બાદમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી પ્રતિયોગિતામાં ભાગ લઈ શકાશે. સફળ પ્રતિયોગિઓને કેશ પ્રાઈઝ આપવામાં આવશે. બધી સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત 15 જુલાઈએ કરવામાં આવશે. તેમને PM મોદીના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
આઈઆરસીટીસી અંતર્ગત લોગો ડિઝાઈન સ્પર્ધાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. આ સ્પર્ધામાં વિજેતાઓને 1 લાખ રૂપિયા મળશે.