3 ફૂટના બાથટબમાં ડૂબીને શ્રીદેવી કેવી રીતે મરી શકે? કોણે લખ્યો મહારાષ્ટ્ર CMને પત્ર, જાણો વિગત
પહેલા મીડિયામાં એવા સમાચાર આવ્યા હતાં કે શ્રીદેવીનું મોત હાર્ટ અટેકને કારણે થયું છે પરંતુ દુબઈ પોલીસના ફોરેન્સિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 54 વર્ષિય અભિનેત્રી શ્રીદેવીનું મોત હોટલની રૂમમાં આવેલ બાથરૂમમાં અચાનક ચક્કર આવ્યા બાદ તે બાથટબમાં પડી ગઈ હતી જેના કારણે તે ડૂબી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: શ્રીદેવીના મોત અંગે દુબઈના રિપોર્ટ પર વરિષ્ઠ પત્રકાર એસ બાલાકૃષ્ણને સવાલ ઉભા કર્યા છે. તેણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને શ્રીદેવીના અંતિમ સંસ્કાર પહેલા તેના મૃતદેહનું બીજીવાર પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી છે. તેણે કહ્યું હતું કે બાથટબની ઊંડાઈ ફક્ત 3 ફૂટ હોય છે, આમાં કોઈ કેવી રીતે ડૂબી શકે છે, જ્યારે તેના શરીરમાં આલ્કોહોલની માત્રા બહુ જ ઓછી હતી.
શ્રીદેવીની અચાનક થયેલા મોતમાં સોમવારે જ નવો વળાંક આવ્યો છે. જ્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે તેની મોત બાથરૂમમાં ચક્કર આવવાને કારણે બાથટબમાં પડી ગઈ હતી જેના કારણે તે ડૂબી ગઈ હતી. આ ખુલાસાના કારણે તેના મૃતહેદને મુંબઈ લાવવામાં મોડું થઈ રહ્યું છે.
એક-બે કલાક પહેલા શ્રીદેવીની રૂમમાં કોણ આવ્યું તેની કંઈ ખબર પડતી નથી. આ બધું શંકા પેદા કરે છે. જે રીતે દુબઈ પોલીસે તપાસ કરી છે, આ મામલે ઘણાં સવાલો ઉભા થાય છે. તે લોકોએ સારી રીતે તપાસ કરી નથી, આ ગંભીર મામલો છે.
બાલાકૃષ્ણને કહ્યું હતું કે, એ વાત નક્કી છે કે તેની ડેથ નેચરલ નથી. શ્રીદેવીના મોત પાછળ સાજિશ તો જ છે. હાર્ટ અટેકની વાત થઈ ત્યાર બધાં લોકો માની ગયા હતા. હાર્ટ અટેકની વાત કોણે ફેલાવી. કોઈનો ઈન્ટ્રેસ્ટ હતો કે સાચું છુપાવવા માટે કોઈએ આ વાત ફેલાવી હતી. આ એક્સીડેન્ટ છે કે મર્ડર એ તપાસ કરવી પોલીસનું કામ છે. હજુ સુધી આ સમગ્ર ઘટનામાં સીસીટીવીનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -