જે ગામમાં પાણી અને ટોઇલેટની સુવિધા નથી, ત્યાં લોકોના ખાતામાં 5-5 રૂપિયા જમા કરાવીને બનાવ્યું 'કેશલેસ'
જોકે ત્યાં રહેતા આદિવાસીઓને તેનાથી કોઈ વધારે ફર્ક નથી પડતો. કારણ કે મોટાભાગના લોકોને રોજની આવક રોકડમાં મળે છે. જેને તેઓ બેંકમાં ભાગ્યે જ જમા કરાવે છે. ત્યાંના લોકો કહે છે કે, તેને ઈન્ટરનેટ પહેલા પાણી અને ટોઇલેટની સમસ્યામાંથી છૂટકારો મેળવવો છે. કેરળને ત્યાંના મુખ્યપ્રધા પિનારી વિજયને 1 નવેમ્બરે ખુલામાં શૌચ મુક્ત જાહેર કર્યું હતું. પરંતુ ગામના લોકોનું કહેવું છે કે, 103 ઘરમાંથી કુલ 15 ઘરમાં જ ટોઇલેટની સુવિધા છે. બાકીના લોકોને નજીકમાં બનેલ સાર્વજનિક શૌચાલયનો ઉપયોગ કરવો પડે છે અથવા ખુલામાં જવું પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ એક સપ્તાહ બાદ જ વાઈફાઈની સુવિધા માત્ર એવા 10 ઘર સુધીજ મર્યાદિત રહી ગઈ જે કોમ્યુનિટી હોલની પાસે છે જ્યાં મોડેમલાગેલ છે. તે સુવિધા પણ પૂરા સમય માટે નથી મળતી. કારણ કે તે કોમ્યૂનિટિ હોલમાં વીજળીનું કનેક્શન નથી. તેના માટે જ્યારે આસપાસના રહેનાર લોકો આવીને તે બિલ્ડિંગને ખોલીને પોતાના ઘરમાંથી વીજળીનું કનેક્શન લે છે ત્યાર બાદ ઇન્ટરનેટ ચાલે છે.
જોકે ડિજીટલ ટ્રાન્ઝેક્શન થોડા જ દિવસમાં બંધ થઈ ગયું. કલેક્ટર દ્વારા કેશલેસ થઈ જવાની જાહેરાત 'મેરા મલપ્પુરમ, મેરા ડિજિટલ' અંતર્ગત કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ કેરળના મલપ્પુરમને પ્રથમ કેશલેસ જિલ્લો બનાવવાનો હતો. તેના માટે પનિયા જાતીના 400 લોકોને વાઈફાઈની સુવિધા પણ આપવામાં આવી હતી. જેની મદદથી તે લોકો એસબીઆઈની SBI Buddy એપથી પેમેન્ટ કરી શકે. તેના માટે તેને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.
નોટબંધી બાદ શહેરની સાથે સાથે ગામડાઓને પણ કેશલેસ બનાવવાની વાત ચાલતી હતી. એવામાં કેરળના મલપ્પુરમને દેશનું પ્રથમ કેશલેસ આદિવાસીઓનું ગામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ સ્થિતિ તો ત્યાં કંઈક અલગ જ છે. અંગ્રેજી સમાચારપત્રના અહેવાલ અનુસાર 27 ડિસેમ્બરે મલપ્પુરમના કલેક્ટર અમિત મીનાએ 27 લોકોના ખાતામાં 5-5 રૂપિયા જમા કરાવીને જિલ્લાને કેશલેસ જાહેર કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -