ઘાસચારા કૌભાંડઃ ચોથા કેસમાં પણ લાલુ યાદવ દોષી જાહેર, જગન્નાથ મિશ્રા સહિત 12 દોષમુક્ત
પૂર્વ કેન્દ્રીય મંત્રીને ઘાસચારા કૌભાંડના પહેલા કેસમાં વર્ષ 2013માં પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. આ ગોટાળાના બીજા કેસમાં લાલુને 23 ડિસેમ્બર 2017ના રોજ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને 6 જાન્યુઆરીએ સાડા ત્રણ વર્ષની કેદની સજા સંભળાવી હતી. ત્રીજા કેસમાં તેને ચાઇબાસા કોષાગારમાંથી ગેરકાયદેસર નિકાસ માટે 24 જાન્યુઆરીએ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને પાંચ વર્ષની સજા સંભળાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ ઘાસચારા કૌભાંડના અન્ય ત્રણ કેસોમાં સજાપાત્ર છે અને અત્યારે ઝારખડની જેલમાં બંધ છે. લાલુ પ્રસાદની વિરુદ્ધ ઘાસચારા કૌભાંડમાં 6 કેસ નોંધાયા છે. અત્યાર સુધી ચારમાં તેને દોષી ઠેરવવામાં આવી ચૂક્યા છે. જ્યારે બે કેસો કોર્ટમા પડતર છે.
ચોથા કેસમાં દોષી જાહેર કરાયા બાદ સૌથી મોટો પ્રશ્ન એ છે કે લાલુ પ્રસાદને આ કેસમાં જે સજા આપવામાં આવશે, તે સાથે સાથે ચાલશે કે અલગ અલગ. લાલુને દોષી જાહેર કરાયા બાદ તેના વકીલે એબીપી ન્યૂઝને જણાવ્યું કે, તેના પર નિર્ણય સજાની જાહેરાત દરમિયાન થશે. તેમનું કહેવું હતું કે સીઆરપીસીમાં એવી જોગવાઇઓ છે જેમાં એકસાથે સજા ભોગવી શકે છે.
ઘાસચારા કૌભાંડમાં 15 માર્ચે જ નિર્ણય આવવાનો હતો પણ લાલુએ કોર્ટમાં અરજી કરીને આ મામલે તત્કાલિન એકાઉન્ટ જનરલને આરોપી બનાવવાની માંગ કરી હતી. જેના કારણે નિર્ણય અટક્યો હતો. પછી 17 માર્ચે નિર્ણય આવવાનો હતો પણ સીબીઆઇએની સ્પેશ્યલ કોર્ટના જજને કોઇ કાર્યક્રમમાં જવાનું હોવાથી નિર્ણય ટળ્યો હતો.
જે કેસમાં આજે લાલુ યાદવને દોષી ઠેરવવામાં આવ્યા તે ડિસેમ્બર 1995થી જાન્યુઆરી 1996ની વચ્ચે દુમકા કોષાગાર (ટ્રેઝરી) 13.13 કરોડ રૂપિયા ખોટી રીતે કાઢવાનો છે. આ મામલે સીબીઆઇએ 11 એપ્રિલ, 1996એ 48 આરોપીઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધાઇ હતી. 11 મે, 2000એ કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આજનો કેસ દુમકા જેલ સાથે સંકળાયેલો છે. આ મામલે સુનાવણી અંગ્રેજીમાં આલ્ફાબેટ ક્રમ અનુસાર થઇ, પણ લાલુ કોર્ટમાં હાજર ન હતા. એટલા માટે તેને ક્રમમાં અલગથી પછીથી દોષી જાહેર કરાયા હતા. લાલુ પ્રસાદ યાદવ રાંચીની રિમ્સ હૉસ્પીટલમાં ભરતી હતા. બિરસા મુંડા જેલમાં તબિયત ખરાબ હોવાના કારણે તેને છેલ્લા કેટલાક દિવસોથી હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.
કોણ છે નિર્દોષ અને કોણે કર્યા દોષમુક્તઃ- મનુરંજલાલ મોહન પ્રસાદ, ધ્રૂવ ભગત, જગ્ગનાથ મિશ્ર, એસી ચૌધરી.
કોણ-કોણ છે દોષીઃ- દોષીઓમાં રાધા મોહન મંડલ, ગોપીનાથ દાસ, પીતામ્બર ઝા, ઓપી દિવાકર, પંકજ મોહન, મહેન્દ્ર ચંદ્ર બેદી. કૃષ્ણકુમાર પ્રસાદ, અરુણ કુમાર સિંહ, અજીત વર્મા,
નવી દિલ્હીઃ ઘાસચારા કૌભાંડના ચોથા કેસમાં કેન્દ્રીય તપાસ બ્યૂરોની વિશેષ અદાલતે બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને દોષી જાહેર કર્યા છે, જ્યારે આ જ મામલે બિહારના એક અન્ય પૂર્વ મુખ્યમંત્રી જગ્ગનાથ મિશ્રાને દોષમુક્ત કરાયા છે. આ કેસમાં 31 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમા કોર્ટે 19ને દોષી જાહેર કર્યા અને 12 દોષમુક્ત કર્યા છે. સજા પર ચર્ચા 21, 22 અને 23 માર્ચે થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -