✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારત-ચીન એકબીજાને હરાવી નથી શકતા, “હિંદી-ચીની ભાઈ ભાઈ” ની ભાવના જ યોગ્ય ઉપાય : દલાઈ લામા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Aug 2017 03:56 PM (IST)
1

નવી દિલ્લી: તિબેટેના આધ્યાત્મિક ગુરુ દલાઇ લામાએ આજે એક કાર્યક્રમમાં ડોકલામમાં ચાલી રહેલા તણાવ મુદ્દે કહ્યું કે, ભારત અને ચીન એકબીજાને હરાવી નથી શકતા અને બન્ને દેશોએ પાડોશીની જેમ સાથે રહેવું પડશે. તેમણે જોર આપતા કહ્યું કે, “હિંદી-ચીની ભાઈ ભાઈ” ની ભાવના આગળ વધારવાનો એકમાત્ર ઉપાય છે.

2

તેમણે કહ્યું કે વર્ષ 1951માં સ્થાનિય તિબેટ સરકાર અને પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના વચ્ચે તિબેટની આઝાદી માટે 17 મુદ્દાના એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. આજે ચીન બદલાઇ રહ્યુ છે. અને તે સૌથી વધારે આબાદી વાળો દેશ બની ગયો છે. તેમણે ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ ની દીશામાં પાછા ફરવું જોઈએ. ચીનમાં કમ્યુનિસ્ટ સરકાર છે પણ બૌદ્ધ ધર્મને પણ વ્યાપક રૂપે સ્વીકારવામાં આવે છે.

3

દલાઈ લામાએ કહ્યું કે, હાલની સરહદ સ્થિતિમાં ભારત અને ચાઇના એકબીજાને હરાવી શકતા નથી. બન્ને દેશ પાસે સૈન્ય શક્તિ સંપન્ન છે. તેમણે કહ્યું કે, બન્ને દેશોએ પાડોશીની જેમ સાથે રહેવુ પડશે. તેમણે કહ્યુ કે, સરહદ પાર ગોળીબારીમાં કેટલીક ઘટનાઓ બની શકે છે. તેનાથી કોઇ વાંધો નથી.

  • હોમ
  • India-news
  • દેશ
  • ભારત-ચીન એકબીજાને હરાવી નથી શકતા, “હિંદી-ચીની ભાઈ ભાઈ” ની ભાવના જ યોગ્ય ઉપાય : દલાઈ લામા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.