દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં 5.8 તીવ્રતાનો ભૂકંપ, હાઈ એલર્ટ પર રાખવામાં આવી NDRFને
હજુ સુધી જાનમાલના નુકસાનના કોઇ સમાચાર મળ્યા નથી. ભૂગર્ભ વિજ્ઞાનીના અનુસાર 'હજુ સુધી ભૂકંપ પછીના આંચકાઓનો ભય છે પરંતુ તેની તિવ્રતા ઓછો હોઇ શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. દેહરાદૂન તરફ ભૂકંપની તિવ્રતા વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના આંચકા મોડે સુધી અનુભવાયા હતા, દેહરાદૂનમાં લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. દેહરાદૂનથી મળતા સમાચારો અનુસાર લોકો કુમાઉ, ગઢવાલની રેંજમાં આંચકા અનુભવાયા છે, પશ્વિમી યૂપીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
30 સેકેન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, યૂપી અને હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા એટલી હદે હતી કે લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા. ઉંચી બિલ્ડીંગોમાં રહેનાર લોકોએ પણ ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા.
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં સોમવારે રાત્રે 10-30 કલાકની આસપાસ ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. જોકે ભૂકંપની તીવ્રતાની જાણકારી તરત ન થઈ પરંતુ લોકો ડરી ગયા છે. દિલ્હીમાં કેટલીક ઓફિસમાં બેઠેલા લોકોએ પણ આંચકા અનુભવ્યા છે. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડ અને ચંદીગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાષ્ટ્રીય ભૂકંપ બ્યૂરો અનુસાર ભૂકંપની તીવ્રતા 8.5 હતી. ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડનું રૂદ્રપ્રયાગના પીપલકોટિ ગણાવવામાં આવીરહ્યું છે. ભૂકંપ જમીનથી 33 કિલોમીટર નીચે આવ્યો હતો અને 7-10 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -