રેલવેમાં થતા અકસ્માત માટે સ્ટાફની નિષ્ફળતા જવાબદારઃ અહેવાલ
રેલવેમાં અકસ્માતોને ટાળવા માટે કેટલાક સુચન કરવામાં આવ્યા છે. જો કે આ પ્રકારના સુચન પ્રથમ વખત કરવામાં આવ્યા નથી. અગાઉ પણ આ પ્રકારના સુચન કરવામાં આવી ચુક્યા છે. પરંતુ હજુ સુધી ધ્યાન અપાયુ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અકસ્માતો માટે પાટાના ફ્રેકચર અને વેલ્ડિંગમાં કમી પણ કેટલાક અંશે જવાબદાર છે. રિપોર્ટમાં મેન્યુઅલ કામના બદલે ટેકનિક પર વધારે વિશ્વાસ કરવા માટે કહેવામાં આવ્યુ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાટા પર સતત નિરીક્ષણની કામગીરી સરળ નથી.
હાલમાં જ રેલવેને સોંપી દેવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, ૫૦થી ૬૦ ટકા રેલવે અકસ્માતોની પાછળ માનવીય ભુલ જ મુખ્ય રીતે જવાબદાર હોય છે. સૌથી વધારે મોત ટ્રેન પાટા પરથી ખડી પડવાના કારણે થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ટ્રેકમાં ખામીના કારણે પણ અકસ્માતો થાય છે. રેલવેના ટ્રેકની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવતી નથી. આના કારણે સમસ્યા વધી ગઇ છે.
ગયા વર્ષે છઠ્ઠી ડિસેમ્બરના દિવસે કાનપુરમાં થયેલી મોટી રેલવે દુર્ઘટના બાદ રેલવેએ સેફ્ટીને લઇને એક ટાસ્ક ફોર્સની રચના કરી હતી. આ ભીષણ ટ્રેન દુર્ઘટનામાં ૧૫૧ લોકોના મોત થઇ ગયા હતા. રેલવેના સુરક્ષા ઉપાયો સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારી પણ આ સમિતિમાં સામે છે. આ સમિતિએ રેલવે અકસ્માતોના આંકડા એકત્રિત કરી લીધા છે. તેમનામાં અભ્યાસની કામગીરી ચાલી રહી છે.
નવી દિલ્હી: છેલ્લા બે મહિનામાં ત્રણ મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટના શા માટે થઈ તેને લઈને અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ રેલવે મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં આ અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર રેલવે દુર્ઘટના અને ટ્રેન પાટા પરથી ખડી પડવા માટે બેજવાબદાર રેલવે સ્ટાફ છે. આ ટ્રેન અકસ્માતોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. સાથે સાથે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -