Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
પદ્માવત પર જેલમાં રાર, 600 કેદીઓની સાથે 'ડૉન'ની ભૂખ હડતાળ
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'પદ્માવત'ને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારોની અરજી પર સુનાવણી કરતા કોર્ટે બન્નેને મોટી ફટકાર લગાવી છે. કોર્ટે અરજીઓને ફગાવી દીધી અને હવે આખા દેશમાં 25 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ સાંસદે કહ્યું કે, અભિવ્યક્તિની આઝાદીના પ્રબળ સમર્થક છુ પણ પૂર્વગ્રહથી પીડિત કે દુરપયોગના નહીં. આનંદ મોહને વધુમાં કહ્યું કે જેલમાં કેદ થઇને કેન્દ્ર અને રાજ્ય સરકારોને અપીલ કરીએ છીએ કે આખા દેશમાં ફિલ્મ પર બેન લગાવો.
અમે આનો પુરજોશથી વિરોધ કરીએ છીએ અને આંદોલનમાં તેમને એ પણ કહ્યું કે 25 જાન્યુઆરીએ સાંજે બે દિવસની સાંકેતિક ભૂખ હડતાળ પર ઉતરીશું, જેના સમર્થનમાં દરેક જાતી, ધર્મના 600 કેદીઓ પણ જોડાશે. ત્યારબાદ અનિશ્ચિત કાળના ઉપવાસ પર ઉતરીશું, એટલું જ નહીં આ આંદોલનમાં આત્મ બલિદાન પણ આપવું પડ્યું તો આપવા તૈયાર છું.
સહરસા જેલથી કોર્ટમાં રજૂ થવા દરમિયાન તેમને સુપ્રીમ કોર્ટ અને સેન્સર બોર્ડના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો. સહૉરસા વ્યવહાર કોર્ટ પરિસરમાં પહોંચેલા આનંદ મોહને પત્રકારો સાથે વાતચીત દરમિયાન 'પદ્માવત' ફિલ્મ પર વિરોધ નોંધાવ્યો. આનંદ મોહને સેન્સર બોર્ડ અને સુપ્રીમ કોર્ટ પર પણ નિશાન તાકતા કહ્યું કે, સેન્સર બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટોની અફડાતફડીમાં ફિલ્મ માટે હા પાડી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ સંજય લીલા ભંસાળીની ફિલ્મ 'પદ્માવત' સતત વિવાદોમાં ફસાયેલી રહી, હવે આ બધાની વચ્ચે જેલમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા પૂર્વ સાંસદ આનંદ મોહને 'પદ્માવત' ફિલ્મને લઇને સખત વિરોધ નોંધાવ્યો છે. ગોપાલ ગંજના પૂર્વ જિલ્લાધિકારી જી કષ્ણૈયા હત્યા મામલે આનંદ મોહન આજીવન કારાવાસની સજા કાપી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -