ગાઝિયાબાદઃ બાથરૂમનો દરવાજો તોડ્યો તો નગ્નાવસ્થામાં પડ્યાં હતાં પતિ-પત્ની, પરિવારના ઉડ્યા હોશ, જાણો વિગત
ગાઝિયાબાદઃ ગાઝિયાબાદમાં હોળીની રાત્રે પતિ-પત્નીની શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાં નગ્ન અવસ્થામાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. નીરજ સિંઘાનિયા અને તેની પત્ની રૂચિનો મૃતદેહ બાથરૂમમાંથી મળ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. પોલીસ મૃતકના પરિવારની પુછપરછ કરી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ જણાવે છે કે, ગિઝર જેવા કોઇ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સથી કોઇ સફોકેશન કે કોઇ પ્રકારનો ઝેરી ગેસ બાથરૂમમાં આવ્યો હોય કે ઇલેક્ટ્રિક શોકથી મોત થયું હોય તેવા પણ કોઇ સંકેત ઘટનાસ્થળ પર જોવા મળ્યા નથી.
મળતી માહિતી પ્રમાણે, ઘટના ઇંદિરાપુરમના જ્ઞાનખંડ 1 સ્થિત ફ્લેટ નંબર 159ની છે. જ્યાં નીરજ સિંઘાનિયા અને તેમની પત્ની રૂચિ સિંઘાનિયાના શબ બાથરૂમમાંથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યા.
આ વાત વિચિત્ર છે કે બંનેમાંથી એકપણ જણ બચી ન શક્યું કે મરતા પહેલા બચાવ માટે કોઇ અવાજ પણ ન કરી શક્યું.
પરિવારજનો દરવાજો તોડીને અને અંદર ઘૂસ્યા અને નીરજ અને રૂચિને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કરી દીધા. પિતાએ જણાવ્યું કે નીરજ મોબાઇલ કંપની મેટ્રિક્સમાં ડેપ્યુટી જનરલ મેનેજર હતો અને વહુ અમેરિકા બેઝ્ડ આઇટી કંપનીની નોઇડા શાખામાં કામ કરતી હતી. બંનેના લગ્ન 2010માં થયા હતા અને તેમની 4 વર્ષની એક નાની બાળકી પણ છે.
પોલીસ અધિકારીઓ જણાવે છે કે, પતિ-પત્નીના શબના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. વધુ એનાલિસિસ માટે બંનેના મૃતદેહોના આંતરિક અંગોને પ્રિઝર્વ કરવામાં આવ્યા છે. બંનેના મૃતદેહો બાથરૂમમાં નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -