પેટ્રોલ પંપવાળા 500 કે 1000ની નોટના બદલામાં 100 કે 200 રૃપિયાનું પેટ્રોલ ના આપે તો શું કરશો, આ રહ્યો ઉપાય
પ્રધાને જણાવ્યું હતું કે, અમે તમામ એલપીજી ડિસ્ટ્રીબ્યૂટર્સ અને પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ આગામી 72 કલાક સુધી જૂની ચલણી નોટનો સ્વિકાર કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સિવાય ધર્મેન્દ્ર પ્રધાને પ્રજાને અપીલ કરી હતી કે જો કોઇ ગેસ સ્ટેશન અથવા પેટ્રોલ પમ્પ રિટેલર અમારી નોટસનો ભંગ કરે તો તેમના નામ અને લોકેશનની ડિટેઇલ અમને મોકલો. એટલુ જ નહીં આ તમામ જાણકારી મારા ટ્વિટર હેન્ડલ @dpradhanbjp અથવા અમારી અન્ય ઓઇલ કંપનીઓના ટ્વિટર હેન્ડલ @IndianOilcl, @BPCLimited & @HPCL પર પણ મોકલી શકો છો. એટલુ જ નહીં પેટ્રોલિયમ મંત્રાલયે લોકોની સુવિધા માટે ટોલ ફ્રી નંબર 18887628835 પણ જાહેર કર્યો છે.
પ્રધાને ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, આગામી 72 કલાક સુધી 500 કે 1000 રૂપિયાની નોટ લેવાનો ઇનકાર કરી રહ્યા છે તેવા પેટ્રોલ પમ્પ અને ગેસ સ્ટેશનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
પેટ્રોલ નહીં હોવાના કારણે લોકોને ઓફિસ જવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે ત્યારે કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સાફ શબ્દોમાં જણાવ્યુ હતુ કે જો કોઇ પેટ્રોલ પંમ્પ અથવા સીએનજી સ્ટેશન 11 નવેમ્બરના રાતના 12 વાગ્યા સુધીમાં જૂની 500 કે 1000ની નોટ્સ સ્વિકારવાનો ઇનકાર કરે તો તેમના વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવશે.
નવી દિલ્લીઃ મોદી સરકારે 500 અને 1000ની નોટને ચલણમાં દૂર કરતા લોકો પરેશાન થઇ ગયા છે. જોકે સરકારના કહેવા પ્રમાણે આગામી 11 નવેમ્બર સુધી પેટ્રોલ પમ્પ પર 500 અને 1000ની નોટ આપીને પેટ્રોલ કે ડિઝલ ભરાવી શકાય છે તેમ છતાં ઘણા પેટ્રોલ પમ્પના માલિકો આ જૂની નોટ્સનો સ્વિકાર કરવાનો ઇનકાર કરતા લોકો વધારે મુશ્કેલીમાં મુકાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -