SC/ST એક્ટઃ તાત્કાલિક થનારી ધરપકડ પર રોકથી કાયદો થશે કમજોર, આ દલીલની સાથે આજે SCમાં પુનર્વિચાર અરજી દાખલ કરશે સરકાર
ગેહલોતે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી માટે તાજેતરમાં જ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને એક પત્ર લખ્યો હતો. તેને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ ઓર્ડર આ કાયદાને નિષ્પ્રભાવી અને દલિતો તથા આદિવાસીઓને ન્યાય મળવાના પર અસર કરશે.
લોજપા પ્રમુખ રામવિલાસ પાસવાન અને કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોતના નેતૃત્વમાં રાજગના એસપી અને એસટી સાંસદોએ આ કાયદાની જોગવાઇઓને કમજોર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ચર્ચા માટે ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
સુત્રો અનુસાર, મંત્રાલયે એ પણ કહી શકે છે કે હાલના આદેશમાં કાયદાનો ડર ઓછો થશે અને કાયદાનું ઉલ્લંઘન વધી શકે છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ કાયદોને તરતજ થનારી ધરપકડ અને આપરાધિક કેસો નોંધવાને હાલમાં પ્રતિબંધિત કરી દીધો હતો. ખરેખર, આ કાયદો ભેદભાવ અને અત્યાચાર વિરુદ્ધ હાશિયામાં ધકેલાયા સમુદાયોનું રક્ષણ કરે છે
સુત્રો અનુસાર, સામાજિક ન્યાય તથતા અધિકારીકા મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોમવારે અરજી દાખલ કરી શકે છે. પુનર્વિચાર અરજીમાં એ કહેવામાં આવી શકે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989ની જોગવાઇઓને નબળી પાડશે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં એક પૂનર્વિચાર અરજી દાખવા કરશે, સુપ્રીમ કોર્ટમાં દાખળ અરજીમાં સરકાર કહેશે કે એસસી-એસટીના કથિત ઉત્પીડનને લઇને તાત્કાલિક થનારી ધરપકડ અને કેસો નોંધવાના મામલાને પ્રતિબંધિત કરવાનું સુપ્રીમ કોર્ટનો આદેશ આ કાયદાને નબળો બનાવશે. ખરેખર, આ કાયદાનું લક્ષ્ય હાશિયામાં ધકેલાયા લોકોનું રક્ષણ કરવાનું છે.