40 વર્ષમાં આઠમી વાર લાગુ થયું રાજ્યપાલ શાસન, જાણો ક્યારે-ક્યારે ગર્વનરે ચલાવ્યું રાજ્ય

જાન્યુઆરી 2015 માં થયેલી ચૂંટણીમાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન હતી મળી, ત્રિશંકુ વિધાનસભા બનવા પર જમ્મુ-કાશ્મીરમાં છઠ્ઠીવાર રાજ્યપાલ શાસન લાગું પડ્યુ હતું.
જાન્યુઆરી 2016 માં મુફ્તી મોહમ્મદ સઇદના મોત બાદ જમ્મ-કાશ્મીરમાં 7મી વાર રાજ્યપાલ શાસન લાગ્યું હતું. અહવે ફરી એકવાર સરકાર પડવાના કારણે રાજ્યમાં આઠમી વાર રાજ્યપાલ શાસન લાગું પડી ગયું છે.
બીજેપીન આ નિર્ણય બાદ રાજ્યમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ઉમર અબ્દુલ્લાએ સરકાર બનાવવાની કોઇ દિલચસ્પી ન હોતી બતાવી. તે પછી સ્પષ્ટ થઇ ગયું હતું કે, રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાની મંજૂરી આપી દીધી છે. આની સાથે રાજ્યપાલ એનએન વોહરા રાજ્ય સંબંધિત બધા મોટા નિર્ણય લેશે.
જુલાઇ 2008 માં જ્યારે પીડીપીએ ગુલામ નબી આઝાદ સરકારમાંથી સમર્થન પાછુ ખેંચી લીધુ તો પાંચમી વાર રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગું થયું. ત્યારે અમરનાથ જમીન વિવાદ પર મચેલી ધમાલને લઇને સરકાર પડી ગઇ હતી.
જાન્યુઆરી 2015 માં થયેલી ચૂંટણીમાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન હતી મળી, ત્રિશંકુ વિધાનસભા બનવા પર જમ્મુ-કાશ્મીરમાં છઠ્ઠીવાર રાજ્યપાલ શાસન લાગું પડ્યુ હતું.
ઓક્ટોબર 2002 માં ત્રિશંકુ વિધાનસભા બન્યા બાદ ચોથી વાર જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગ્યું, પણ 15 દિવસ બાદ પીડીપી-કોંગ્રેસે નવી સરકાર બનાવી લીધી હતી.
ત્યારબાદ માર્ચ 1986 માં ગુલામ મોહમ્મદ શાહની સરકારને અલ્પમતમાં આવ્યા બાદ બીજીવાર રાજ્યપાલ શાસન લાગ્યું હતું. નેશનલ કૉન્ફરન્સના બળવાખોર ગુલામ મોહમ્મદની સરકાર કોંગ્રેસે પાડી હતી.
જાન્યુઆરી 1990 માં જગમોહનને રાજ્યપાલ બનાવવાનો નિર્ણયના વિરુદ્ધમાં ફારુક અબ્દુલ્લાએ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ સૌથી લાંબા સમય સુધી, 6 વર્ષ 264 દિવસ સુધી જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગી રહ્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી આઠ વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ચૂક્યુ છે. રાજ્યમાં સૌથી પહેલા માર્ચ 1977માં રાજ્યપાલ શાસન લાગ્યુ હતું. ત્યારે શેખ મોહમ્મદ અબ્દુલ્લાની સરકાર અલ્પમતમાં આવ્યા બાદ બીજીવાર રાજ્યપાલ શાસન લાગ્યું હતું. નેશનલ કોન્ફરન્સના બળવાખોર ગુલામ મોહમ્મદની સરકાર કોંગ્રેસ પાડી દીધી હતી.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને બીજેપીની ગઠબંધન સરકાર પડ્યા પછી રાજ્યમાં આઠમી વાર રાજ્યપાલ શાસન લાગું થઇ ગયું છે. મંગળવારે ભાજપે રાજ્યપાલ એનએન વોહરાને સમર્થન વાપસી પત્ર આપતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી.