કુલભૂષણની 21 મહિના બાદ માતા અને પત્ની સાથે મુલાકાત, વચ્ચે હતી કાચની દીવાલ
મીટિંગ સ્થળે પાકિસ્તાન રેન્જર્સ, એન્ટી ટેરરિઝમ સ્કવોડ, શાર્પશૂટરનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કુલભૂષણની પત્ની અને માતા જ્યારે એરપોર્ટથી વિદેશ મંત્રાલય આવતા હતા ત્યારે રસ્તા પર મીડિયા અને સિક્યુરિટી જવાનોને બાદ કરતા તમામ ટ્રાફિક પણ થોભાવી દેવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી/ઇસ્લામાબાદઃ પાકિસ્તનના વિદેશ મંત્રાલયમાં કુલભૂષણ જાધવની તેની પત્ની અને માતા સાથે 21 મહિના બાદ મુલાકાત થઈ હતી. કુલભૂષણની માતા અને પત્ની સાથે 30 મીનિટની વાતચીત બાદ જાધવે પાકિસ્તાન સરકારનો આભાર માન્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમની વચ્ચે કાચની દિવાલ રાખવામાં આવી, જ્યારે તેમની સાથે વાતચીત કરવા માટે ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમની સાથે પાકિસ્તાનમાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશ્નર જેપી સિંહ પણ હાજર રહ્યા હતા.
જાધવની પત્ની અને માને પાકિસ્તાને ફક્ત 5 દિવસ પહેલા જ વિઝા આપ્યા હતા. પાકિસ્તાને પહેલા ફક્ત જાધવની માને જ મુલાકાતની મંજૂરી આપી હતી. પરંતુ, ભારતે દબાણ કર્યા પછી તેની પત્નીને પણ વિઝા આપવામાં આવ્યા. ભારતે જાધવ માટે કોન્સ્યુલર એક્સેસની પણ માંગ કરી હતી. પાકિસ્તાને એવું કહીને આ વાતને રદિયો આપી દીધો કે જાધવ જાસૂસ છે અને આ પ્રકારના કેસમાં કોન્સ્યુલર એક્સેસ ન આપી શકાય.
કુલભૂષણ જાધવ કેસનું કવરેજ કરવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની બહાર મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓ ઓબી વેન સાથે ઉમટી પડ્યા હતા. .
તેમણે એમ પણ જણાવ્યું કે, અમે માણસાઇના આધારે કમાન્ડર જાધવની પત્ની અને માને તેમની સાથે મુલાકાતની પરવાનગી આપી છે. આ મુલાકાત વિદેશ મંત્રાલયમાં થશે. જાધવની દયા અરજી (મર્સી પિટિશન) પેન્ડિંગ છે.
ફૈઝલે કહ્યું હતું- જાધવને મા અને પત્નીને મળવાની મંજૂરી બે કારણોસર આપવામાં આવી છે. એક- ઇસ્લામિક પરંપરા. બીજું- માણસાઇ. પહેલા એમ કહેવામાં આવતું હતું કે આ મુલાકાત કોઇ અજાણ્યા સ્થળે થશે. પરંતુ, ફૈઝલે સ્પષ્ટ કર્યું કે મુલાકાતની વ્યવસ્થા વિદેશ મંત્રાલયમાં કરવામાં આવી છે.
25 ડિસેમ્બરે પત્ની અને માની મુલાકાત પછી જાધવને ફાંસી આપવામાં આવશે તેવી અફવા ફેલાઇ હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલને આ વિશે સવાલ કરવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે શું જાધવને જલ્દી જ ફાંસી આપવામાં આવી શકે છે? આ સવાલના જવાબમાં ફૈઝલે કહ્યું હતું- હું તમને ભરોસો અપાવવા માંગું છું કે જાધવને જલ્દી ફાંસી આપવાનો કોઇ ઇરાદો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -