વિજય માલ્યાએ કહ્યું- '9000 કરોડના દેવા મામલે બેન્કો સાથે વનટાઇમ સેટલમેન્ટ કરવા તૈયાર'
માલ્યાએ કહ્યું કે, મેં કોઇ પણ પ્રકારનો વિરોધ કર્યા વિના કોર્ટના આદેશનું પાલન કર્યું છે. મને લાગે છે કે સરકાર મને ફેયર ટ્રાયલ વિના દોષિત જાહેર કરવા માંગે છે. સુપ્રીમ કોર્ટમાં મારા વિરુદ્ધ એર્ટોની જનરલ દ્ધારા લગાવવામાં આવેલા આરોપોથી સરકારનું વલણ સાબિત થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાલ્યાએ પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે, મેં સુપ્રીમ કોર્ટ સામે એક ઓફર રજૂ કરી હતી પરંતુ બેન્કોએ કોઇ પણ પ્રકારના વિચાર કર્યા વિના તેને ફગાવી દીધી હતી. હું પુરી રીતે વન ટાઇમ સેટલમેન્ટ કરવા માટે રાજી છું. વધુમાં માલ્યાએ કહ્યું કે, મને આશા છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરીને તેને ખત્મ કરવાનો પ્રયાસ કરશે.
ઉલ્લેખનીય છે કે 9000 કરોડ રૂપિયાના દેવાદાર વિજય માલ્યા છેલ્લા એક વર્ષથી ભારત છોડીને લંડનમાં રહે છે. કોર્ટે તેમને ભાગેડુ જાહેર કર્યા છે. ભારત સરકાર બ્રિટનમાંથી તેમને લાવવાનો પ્રયાસ કરી રહી છે.
નવી દિલ્લીઃ દારૂના વેપારી વિજય માલ્યાએ આજે ટ્વિટર પર જણાવ્યું હતું કે તે 9000 કરોડ રૂપિયાના દેવા મામલે વન ટાઇમ સેટલમેન્ટને લઇને બેન્કો સાથે વાતચીત માટે તૈયાર છે. માલ્યાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, સાર્વજનિક ક્ષેત્રની બેન્કોમાં વન-ટાઇમ સેટલમેન્ટ પોલિસી હોય છે. જેમાં હજારો દેવાદાર લોકો આ રીતે પોતાનો કેસનો ઉકેલ લાવે છે તો મારા મામલામાં આ પ્રકારે કેસ ઉકેલવાનો કેમ ઇનકાર કરવામાં આવી રહ્યો છે?
- - - - - - - - - Advertisement - - - - - - - - -