Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
ક્યાં રાજ્યમાં વિધવા સાથે લગ્ન કરવાથી રાજ્ય સરકાર આપશે 2 લાખ રૂપિયા, જાણો
સરકાર આ પ્રસ્તાવ ફાયનાન્સ ડિપાર્ટમેન્ટને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારબાદ તેને કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. અધિકારીઓને આશા છે કે આગામી ત્રણ મહિનામાં આ સ્કીમ લાગુ થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વિધવા પુનર્વિવાહને પ્રોત્સાહન આપવા પોલિસી બનાવવા જણાવ્યું હતું. મધ્ય પ્રદેશની સરકારે તેમાંથી પ્રેરણા લઈને આ સ્કીમ લોન્ચ કરી છે. આ માટે મધ્ય પ્રદેશની સરકાર વર્ષે ૨૦ કરોડ ફાળવી રહી છે. ૧૮થી ૪૫ વર્ષ વચ્ચેની વિધવા સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવનાર યુવકને રૂ. ૨ લાખનું વળતર આપવામાં આવશે.
મધ્ય પ્રદેશ સરકારે એવો દાવો કર્યો છે કે દેશમાં અગાઉ આવુ પગલુ બીજા કોઈ રાજયએ નથી ભર્યું. સરકારને આશા છે કે સ્કીમ શરૂ થવાના એક વર્ષમાં ૧૦૦૦ જેટલી વિધવાઓના લગ્ન થશે. જો કે અત્યાર સુધી કેટલી વિધવાઓના પુનર્વિવાહ થયા તે અંગે કોઈ ડેટા નથી.
ભોપાલ : મધ્ય પ્રદેશનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વિધવા પુનર્વિવાહને પ્રોત્સાહન આપવા માટે આ નવી સ્કીમ લઈને આવ્યો છે. વિધવા સાથે લગ્ન કરો અને મેળવો રૂ. ૨ લાખ રૂપિયા. આ માટે વિધવાની ઉંમર ૪૫ વર્ષથી ઓછી હોવી જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -