ભારત સહિત વિશ્વના અનેક દેશમાં ફરી સાયબર અટેક, કામકાજ ઠપ
ભારતમાં પણ મુંબઈમાં જવાહર નહેરુ પોર્ટમાં પણ સાઈબર એટેકેની અસર જોવા મળી છે. સાઈબર એટેકના કારણે પોર્ટના કામ ઠપ થઈને પડ્યા છે. ન્યૂઝ એજન્સીના એક સીનિયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે જેએનપીટી પર ગેટવે ટર્મિનલ્સ ઈન્ડિયા (જીટીઆઈ)ના કામકાજ ઠપ થઈને પડ્યા છે. કારણકે માલવેયર એટેકના કારણે સિસ્ટમે કામ કરવાનં બંધ કરી દીધું છે. તેઓ મેન્યુઅલી કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નોંધનીય છે કે મુંબઈમાં આવેલું જવાહર નહેરુ પોર્ટ દેશના ત્રણ મોટા પોર્ટમાંથી એક છે. તેની ક્ષમતા 1.8 મિનિયન કન્ટેનર્સ યુનિટની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રિટિશએડ એજન્સી WPP સહિત ડઝનબંધ કંપનીઓ પણ પ્રભાવિત છે. રશિયન ઓઇલ કંપની રોસનેફ્ટ અને ડેનિશ શિપિંગ કંપની મૈયાસ્કે પણ ટેકનિકલ ખામીઓની ફરિયાદ કરી છે. નિષ્ણાતોના કહેવા મુજબ હુમલો ગયા મહિને થયેલા વન્નાક્રાય રેન્સમવેર જેવો હોઇ શકે છે. નોંધનીય છે કે વન્નાક્રાય રેન્સમવેરે ભારત સહિત 100થી વધુ દેશોમાં હડકંપ મચાવી દીધો હતો. માલવેર કમ્પ્યૂટરોને પોતાના કબજામાં લઇ ફાઇલો ખોલવા માટે ઓનલાઇન ખંડણી માગે છે.
નવી દિલ્હીઃ ખંડણી માગતો વાયરસ રેનસમવેરનો ફરી અટેક થયો છે. આ વાયરસની અસર વિશ્વના અનેક દેશમાં જોવા મળી રહી છે અને ભારતમાં પણ આ વાયરસે ઘણું નુકસાન પહોંચાડ્યું છે. મુંબઈના સૌથી મોટા પોર્ટ ટ્રસ્ટમાં પણ આ વાયરસને કારણે કામકાજ ઠપ થઈ ગયું છે. મુંબઈના જવાહર લાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટની સિસ્ટમ આ વાયરસને કારણે ડાઉન હોવાના સમાચાર છે.
સાઈબર એટેકની યુરોપમાં સૌથી ખરાબ અસર દેખાઇ રહી છે. યુક્રેનમાં સરકારી મંત્રાલય, વીજ કંપની, બેન્ક, વિમાન બનાવતી કંપની એંતોનોવ અને ટપાલ સેવાને માઠી અસર થઇ છે. કમ્પ્યૂટર સિસ્ટમ લૉક થતાં રાજધાની કીવની મેટ્રોમાં પેમેન્ટ કાર્ડ કામ કરતા નથી. ઘણા પેટ્રોલ સ્ટેશન પણ ઠપ થઇ ગયા. યુક્રેનના નાયબ વડાપ્રધાને ટિ્વટર પર એક ફોટો મૂક્યો છે, જેમાં સ્ક્રીન પર સિસ્ટમમાં ખરાબીની સૂચના દેખાઇ રહી છે. ભારતમાં જવાહર નહેરુ પોર્ટમાં પણ થઈ સાઈબર એટેકની અસર જોવા મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -